સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે "રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઇને તે ધ્યાનને મુકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી ૧કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઇ જાય છે." ઇતિ વચનામૃતમ્ ।।૫।।
૧ પોતાની મૂર્તિનાં દર્શન આપવારૂપ.