શ્રીહરિએ પ્રથમ આચાર્યોને દીક્ષિત કરી તે બન્ને દ્વારા સંપ્રદાયની દીક્ષાદાનની કરેલી શુભ પ્રવૃત્તિ.
सुव्रत उवाच -
एकादश्यां निर्जलायां नारायणमुनिर्नृप ! । पुत्राभ्यां प्रददौ दीक्षां द्विविधां स्वयमेव हि ।। १
दीक्षिताभ्यां ततस्ताभ्यां तत्स्त्रीभ्यामपि स स्विकाम् । दीक्षां प्रदापयामास सामान्यां महतीमपि ।।२
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીનારાયણમુનિએ સ્વયં સંવત ૧૮૮૨ ના જેઠ સુદી નિર્જલા એકાદશીના દિવસે બન્ને પુત્રોને બન્ને પ્રકારની દીક્ષા આપી. પછી તે બન્ને આચાર્યો દ્વારા પોતપોતાની પત્નીઓને પણ સામાન્ય તથા મહાદીક્ષા અપાવી, કારણ કે પતિ છે તેજ સ્ત્રીઓના દેવતા અને ગુરૂ છે.૧
પતિવ્રતાના ધર્મમાં તત્પર પત્નીએ પતિથકી જ દીક્ષા પામી પોતાને શરણે આવેલી અન્ય સ્ત્રીઓને પણ પ્રણવ રહિતનો દીક્ષામાં મંત્ર આપવો. પતિ સિવાય બીજા કોઇ પણ પુરુષને ગુરુ કરવો નહિ. આ પ્રમાણે નારદપંચરાત્રમાં પણ કહેલું છે.૨
तदा महान्तमकरोत्कृष्णार्चनमहोत्सवम् । साधूंश्च सकलान्विप्रान् यथेष्टं समभोजयत् ।। ३
देशान्तरेभ्योऽपि भक्तास्तत्राऽयाताः सहस्रशः । पुरुषा योषितश्चाऽसन् वर्णिनः साधवस्तथा ।। ४
स्ननयात्रोत्सवस्यान्ते सभा तत्र महत्यभूत् । मर्यादया भक्तजना निषेदुस्तत्र सर्वशः ।। ५
नारायणश्च तन्मध्य उञ्चासन उपाविशत् । मुखारविन्दं तस्यैव ते च पश्यन्त आसत ।। ६
तानुवाच हरिर्भक्ताः ! सर्वे शृणुत मद्वचः । दीक्षितानां फलं भक्तेः शीघ्रं भवति वै नृणाम् ।। ७
यथाधिकारं दीक्षाऽतो सामान्या महती तथा । ग्राह्या पुम्भिश्च नारीभिः स्थितैरुद्धववर्त्मनि ।। ८
लक्ष्मीनारायणस्यात्र खण्डे स्युः पुरुषास्तु ये । गृन्तु रघुवीरात्ते दीक्षां तु द्विविधामपि ।। ९
तेषां स्त्रियश्च गृातु रघुवीरस्य योषितः । सकाशाद्विविधां दीक्षां न तु पुंसः कदाचन ।। १०
नरनारायणस्यात्र खण्डे स्युः पुरुषाश्च ये । दीक्षाऽयोध्याप्रसादात्तु गृह्यतां द्विविधापि तैः ।। ११
तेषां स्त्रियस्तु यास्ताभिर्दीक्षा तस्यैव योषितः । सकाशाद्गृह्यतां द्वेधा नान्यथा तु कदाचन ।। १२
હે રાજન્ ! શ્રીહરિએ પોતાના બન્ને પુત્રોને દીક્ષા પ્રદાન કરી તે સમયે મોટો કૃષ્ણપૂજા મહોત્સવ ઉજવાયો, અને બારસના દિવસે ભગવાન શ્રીહરિએ સમસ્ત સાધુ, બ્રહ્મણોને ઇચ્છાનુસાર ભોજન કરાવ્યાં.૩
દેશ-દેશાંતરોમાંથી હજારો નરનારી ભક્તજનો તથા બ્રહ્મચારી સાધુઓ ગઢપુર ઉત્સવમાં આવ્યાં.૪
જેઠમાસમાં સૂર્યોદય વ્યાપી જ્યેષ્ઠાનક્ષત્રના સમયે ઉજવાતા સ્નાનયાત્રા ઉત્સવના અંતે ગઢપુરમાં વિશાળ સભા ભરાઇ, તે સભામાં સર્વે ભક્તજનો પોતપોતાની મર્યાદામાં બેઠા.૫
શ્રીસ્વામિનારાયણ ભગવાન તે સભાની મધ્યે સ્થાપન કરેલા ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા, ને સભામાં બેઠેલા સંતો, ભક્તો તેમના મુખારવિંદનું દર્શન કરવા લાગ્યા.૬
તે સમયે શ્રીહરિ સભામાં બેઠેલા સર્વે સંતો, ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે સર્વે મારૂં વચન સાંભળો, જેણે દીક્ષા પ્રાપ્ત કરેલી હોય તેવા જનોને ભક્તિનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે.૭
તેથી ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા નર-નારી જનોએ પોતાના અધિકારને અનુસારે સામાન્ય તથા મહાદીક્ષા ગ્રહણ કરવી.૮
જે જનો લક્ષ્મીનારાયણદેવના ખંડમાં રહેલા છે. તેઓએ આચાર્ય શ્રી રઘુવીરજી પાસેથી બન્ને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી. ૯
અને સ્ત્રીઓએ રઘુવીરજીનાં પત્ની વીરજાદેવી પાસેથી બન્ને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી, પરંતુ સ્ત્રીઓએ રઘુવીરજી પાસેથી ક્યારેય પણ દીક્ષા ગ્રહણ કરવી નહિ.૧૦
તેવીજ રીતે આ ઉદ્ધવસંપ્રદાયમાં શ્રીનરનારાયણદેવના ખંડમાં રહેલા જે જનો છે, તેમણે તો બન્ને પ્રકારની દીક્ષા આચાર્ય અયોધ્યાપ્રસાદજી પાસેથી ગ્રહણ કરવી.૧૧
ને તેમની સ્ત્રીઓએ તો અયોધ્યાપ્રસાદજીનાં પત્ની સુનંદાદેવી પાસેથી જ બન્ને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી, પરંતુ આચાર્ય પાસેથી ક્યારેય પણ ગ્રહણ કરવી નહિ.૧૨
वासुदेवीमिमां दीक्षां गृहीत्वाऽथानुवासरम् । पूजनार्थं च कृष्णार्चा ग्राह्या स्वस्वगुरोर्जनाः ! ।। १३
यथाधिकारं कर्तव्यं यथार्हं च तदर्चनम् । स्थित्वा सर्वैः स्वधर्मेषु नान्यथा तु मदाश्रितैः ।। १४
धर्मेषु संशयः कश्चिच्चित्ते स्याद्यदि कस्यचित् । तदा यथावकाशं तं स पृच्छतु सुखेन माम् ।। १५
હે ભક્તજનો ! શ્રીવાસુદેવની આ ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રતિદિન પૂજા કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ પોતાના આચાર્ય પાસેથી જ સ્વીકારવી.૧૩
ને સર્વે મારા આશ્રિત ભક્તજનોએ પોતાના ધર્મમાં રહીને પોતાના અધિકાર પ્રમાણે યથાયોગ્ય પ્રમાણે તે પ્રતિમાનું પૂજન કરવું. પરંતુ મેં કહ્યું તે પ્રમાણે મૂર્તિ પ્રાપ્ત ન થઇ હોય તેવી મૂર્તિનું પૂજન ન કરવું.૧૪
અને જો કોઇના મનમાં મેં કહેલા નિયમ ધર્મોમાં કોઇ આશંકા રહેતી હોય તો તે પુરુષે પોતાને અવકાશ મળે એ સમયે મારી પાસે આવી એ સંશયનું સુખેથી નિરાકરણ પૂછી જવું.૧૫
सुव्रत उवाच -
एवमुक्ते भगवता ते तथेत्यवदन् जनाः । हरिर्निजावासमायात्स्वस्वावासान् ययुश्च ते ।। १६
यथाधिकारं च ततो यथाकालं हरिर्निजान् । पुत्राभ्यां दीक्षयामास सर्वानपि विभागशः ।। १७
ततश्च रघुवीरेण तच्छिष्येभ्यो हरिर्नृप ! । राधाकृष्णस्य च स्वस्य लेख्यार्चामप्यदापयत् ।। १८
तथाऽयोध्याप्रसादेन तच्छिष्येभ्यश्च सर्वशः । नरनारायणस्यार्चां तथा स्वस्याप्यदापयत् ।। १९
ततस्तयोस्तु भार्याभ्यां नारीभ्योऽपि यथोचितम् । द्विविधां दापयामास दीक्षां सर्वाभ्य ईश्वरः ।। २०
यथाविभागं च ततो नित्यार्च्यं प्रतिमाद्वयम् । ताभ्योऽपि दापयामास ताभ्यामेव पृथक् पृथक् ।। २१
इत्थं नारायणः स्वामी सम्प्रदायमिहौद्धवम् । राजन् ! प्रवर्तयामास कालौ नणां हिताय वै ।। २२
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી સર્વે ભક્તજનોએ પણ કહ્યું કે, બહુ સારૂં પ્રભુ ! પછી ભગવાન શ્રીહરિ પોતાના નિવાસસ્થાને પધાર્યા અને ભક્તજનો પણ પોતપોતાના ઉતારે પધાર્યા.૧૬
પછી શ્રીહરિ સૌ સૌના અધિકારને અનુસારે અને દેશવિભાગ પ્રમાણે બન્ને પુત્રો પાસે બન્ને પ્રકારની દીક્ષા અપાવીને રઘુવીરજી આચાર્યના હસ્તે શ્રીરાધાકૃષ્ણ ભગવાનની અને એક પોતાની ચિત્રપ્રતિમા શ્રીલક્ષ્મીનારાયણ દેવના ખંડમાં રહેલા તેમના શિષ્યોને અપાવી.૧૭-૧૮
તેવી જ રીતે શ્રીહરિએ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજીના હસ્તે શ્રીનરનારાયણ ભગવાનની અને એક પોતાની ચિત્રપ્રતિમા તેમના ખંડમાં રહેલા શિષ્યોને અપાવી.૧૯
પછી વળી અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજીની બન્ને પત્નીઓ દ્વારા બન્ને ખંડની સમગ્ર સ્ત્રીઓને યોગ્યતા પ્રમાણે બન્ને પ્રકારની દીક્ષા અપાવી.૨૦
તેમાં દેશ વિભાગને અનુસારે તે બન્ને આચાર્યપત્નીઓ દ્વારા સર્વે નારીઓને નિત્યપૂજાને માટે બે બે પ્રકારની પ્રતિમાઓ પણ અલગ અલગ અપાવી.૨૧
હે રાજન્ ! આ પ્રમાણે શ્રીસ્વામિનારાયણ ભગવાને આલોકમાં કળિકાળમાં જન્મેલા મનુષ્યોના હિતને માટે ઉદ્ધવસંપ્રદાયનું પ્રવર્તન કર્યું.૨૨
रघुवीरस्तथाऽयोध्याप्रसादो भ्रातरावथ । तमुपेत्य नमस्कृत्य तदग्रे च निषेदतुः ।। २३
हरिस्तावाह पुत्रौ ! यत्प्रष्टव्यं भवतोर्भवेत् । तत्पृच्छतमिति प्रोक्तौ तौ तं पप्रच्छतुर्नृप ! ।। २४
भ्रातरावूचतुः -
सम्प्रदायेऽत्र नः स्वामिन्कर्तव्या ये व्रतोत्सवाः । वार्षिकाणां च तेषां नौ विधानं वक्तुमर्हसि ।। २५
आवां त्वदुक्तरीत्यैव भगवन्मन्दिरेषु तान् । यथाकालं करिष्यावो देशयोरुभयोः प्रभो ! ।। २६
सुव्रत उवाच -
पृष्टः सुताभ्यामिति स प्रसन्नो नारायणस्तौ नृपते ! जगाद । स्वसम्प्रदायं ह्यनुसृत्य सर्वं व्रतोत्सवानां विधिमाब्दिकानाम् ।। २७
ત્યારપછી બન્ને ભાઇ અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી ભગવાન શ્રીહરિને સમીપે પધારી નમસ્કાર કરીને તેમની આગળ બેઠા.૨૩
શ્રીહરિ બન્નેને કહેવા લાગ્યા કે, હે પુત્રો ! તમને મને જે કાંઇ પૂછવું હોય તે સુખેથી પૂછો. તેથી બન્ને ભાઇ તેમને પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આપણા આ ઉદ્ધવસંપ્રદાયમાં ઉજવવા યોગ્ય જે વ્રતો અને ઉત્સવો હોય તે વાર્ષિક વ્રતો અને ઉત્સવોનું વિધિવિધાન શું છે ? તે અમને સંભળાવો.૨૪-૨૫
હે પ્રભુ ! તમે કહેશો એ પ્રમાણે જ આપણા સંપ્રદાયમાં બન્ને દેશોના મંદિરોમાં સમયે સમયે અમે તેની ઉજવણી કરશું. એથી એ વિધિ અમને કહો.૨૬
હે રાજન્ ! આ પ્રમાણે બન્ને પુત્રોએ પૂછયું ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા ને પોતાના ઉદ્ધવસંપ્રદાયની રીત પ્રમાણે વાર્ષિક વ્રતો અને ઉત્સવોનો સર્વે વિધિ બન્ને પુત્રોને કહેવા લાગ્યા.૨૭
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे उद्धवसम्प्रदायदीक्षाविधिप्रवर्तननिरूपणनामा चतुःपञ्चाशतामोऽध्यायः ।। ५४
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ બન્ને આચાર્યો દ્વારા ઉદ્ધવસંપ્રદાયની દીક્ષાવિધિની પ્રવૃત્તિ કરી એ નામે ચોપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૪--