શ્રીહરિએ એકાંત સ્થળમાં બેસી દશમસ્કંધનું શ્રવણ કરતાં કરતાં શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ કર્યો. શિક્ષાપત્રી લખતા શ્રીહરિનું ધ્યાન. શિક્ષાપત્રી. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે.
सुव्रत उवाच -
वसंस्तत्र निजावासे हरिर्दुःखहराभिधः । प्रशंसां भूपतेस्तस्य चकार स्वीयसंसदि ।। १ ।।
वटपत्तनसम्प्राप्तं वासोभूषाधनादि यत् । रघुवीराय तत्सर्वे ददाति स्म स भूपते ! ।। २
ततः स दशमस्कन्धं शुश्रूषुः सुस्थचेतसा । उत्तमादीन् दुर्गपुरं प्रेषयिष्यन्नुवाच तान् ।। ३
राजन् ! दुर्गपुरं याहि स्वकीयैः सह साम्प्रतम् । यूयं च सुहृदः ! सर्वे यातानेन सहैव च ।। ४
श्रुत्वात्र दशमस्कन्धं तत्रायास्याम्यहं ध्रुवम् । इति मे रोचते तस्माद्यूयं सर्वेऽपि गच्छत ।। ५
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સમગ્ર દુઃખને હરણ કરનાર નામને ધારણ કરતા શ્રીહરિએ વડતાલમાં પોતાના નિવાસસ્થાને સર્વે ભક્તજનોની સભામાં સયાજીરાવ રાજાની ખૂબજ પ્રશંસા કરી.૧
અને વડોદરાનગરમાં જે કાંઇ વસ્ત્ર, આભૂષણ અને ધન વગેરે જે કાંઇ પણ ભેટ સામગ્રી પ્રાપ્ત થયેલી તે સર્વે શ્રીહરિએ લક્ષ્મીનારાયણ દેવના દેશમાંથી પ્રાપ્ત થયેલી હોવાથી પુત્ર રઘુવીરજી મહારાજને અર્પણ કરી.૨
પોતાને સ્વસ્થચિત્તે દશમસ્કંધ સાંભળવાની ઇચ્છા હતી તેથી શ્રીહરિ ઉત્તમરાજા આદિ સર્વેને ગઢપુર મોકલવાની ઇચ્છાથી તેઓ પ્રત્યે કહેવા લાગ્યા.૩
હે ઉત્તમનૃપતિ ! તમે અત્યારે જયા, લલિતા આદિ સર્વે સંબંધીજનોની સાથે દુર્ગપુર જાઓ. હે ભાઇઓ ! તમે પણ સર્વે પરિવારને સાથે લઇ આ ઉત્તમરાજા ભેળા ગઢપુર સિધાવો.૪
હું અહીં દશમસ્કંધનું શ્રવણ કરી ચોક્કસ ગઢપુર પધારીશ, આ પ્રમાણેની મારી ઇચ્છા છે. માટે તમે સર્વે ગઢપુર સીધાવો.૫
इत्युक्तास्ते तु हरिणा विजने स्थातुमिच्छता । अनिच्छन्तोऽपि तद्वाक्यमान्यत्वात्स्वपुरं ययुः ।। ६
परिवारेण सहितः स्वकीयेनोत्तमो नृपः । रामप्रतापमुख्याश्च हरेः सम्बन्धिनोऽखिलाः ।। ७
पाश्चात्या भाल्लदेशीया ये चान्ये तत्र सङ्गताः । सर्वे ते हरिणाज्ञाप्ताः स्वं स्वं ग्रामं पुरं ययुः ।। ८
नानादेशस्थलोकानां बोधनाय मुनीनपि । सर्वानाज्ञापयामास ते च जग्मुस्तदाज्ञाया ।। ९
एकादश्याः स आरभ्य दशमस्कन्धमादितः । सार्धमासेन शुश्राव सादरं विजने ततः ।। १०
स्कन्धः स एव भूपाल ! भृशं तस्मा अरोचत । प्रशंसां तस्य बहुधा चकार च स आदरात् ।। ११
ततः स पञ्चमस्कन्धं वसन्ताद्यदिनावधि । शुश्राव सादरं तं च प्रशशंस च संसदि ।। १२
श्रीमद्बागवताख्यस्य पुराणस्यातिव-ल्लभौ । स्कन्धावभूतां द्वावेतौ तस्य नारायणस्य हि ।। १३
पौराणिकं ततः सम्यग्वस्त्रभूषाधनादिभिः । तोषयित्वाथ मध्याह्ने वसन्तोत्सवमाचरत् ।। १४
लक्ष्मीनारायणस्यासौ महापूजामकारयत् । गीतवादित्रनिनदैरुपेतां वर्णिसत्तमैः ।। १५
ब्राह्मणान् भोजयामास सहस्रं तद्दिने हरिः । तेभ्यश्च दक्षिणां प्रादात्सुस्पर्शान्कम्बलानपि ।। १६
भक्तास्तदानीं बहुशः समीपग्रामवासिनः । तद्दर्शनार्थमाजन्मुः प्रतिजग्मुश्च ते पुनः ।। १७
હે રાજન્ ! આ પ્રમાણે એકાંત સ્થળમાં રહેવા ઇચ્છતા શ્રીહરિએ કહ્યું, તેથી તેઓ ભગવાન શ્રીહરિને છોડીને જવા ન ઇચ્છતા હોવા છતાં સર્વે શ્રીહરિના વચનનો અનાદર ન થાય તે હેતુથી ગઢપુર જવા નીકળ્યા.૬
પોતાના પરિવારજનોને સાથે લઇ ઉત્તમરાજા તથા રામપ્રતાપભાઇ વગેરે ભગવાન શ્રીહરિના સંબંધીજનો પણ ગઢપુર પધાર્યા.૭
અહીં વડતાલમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર દર્શન માટે ભેળા થયેલા અન્ય પશ્ચિમ પ્રદેશના તથા ભાલપ્રદેશના ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં પોતપોતાના ગામ તથા નગરે સીધાવ્યા.૮
જુદા જુદા દેશોમાં રહેલા ભક્તજનોને બોધ આપવા માટે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પણ આજ્ઞા આપી, તેથી તેઓ પણ દેશાંતરોમાં ગયા.૯
પછી શ્રીહરિ સંવત ૧૮૮૨ ના કાર્તિક વદ એકાદશીની તિથિથી આરંભીને દશમસ્કંધનો પ્રથમ અધ્યાયથી આરંભ કરી દોઢ માસસુધી એકાંત સ્થળમાં શ્રવણ કર્યું.૧૦
હે ભૂપાલ ! અને તે દશમસ્કંધ શ્રીહરિને બહુ જ ગમ્યો, તેથી તેમની આદરપૂર્વક ખૂબજ પ્રશંસા કરી.૧૧
પછી શ્રીહરિ વસંતપંચમી સુધી પંચમસ્કંધનું શ્રવણ કર્યું. તે સ્કંધ પણ તેમને બહુ ગમ્યો. તેથી સભામાં તેની પણ ખૂબજ પ્રશંસા કરી, શ્રીમદ્ ભાગવતપુરાણના આ બન્ને સ્કંધ શ્રીહરિને અતિશય પ્રિય હતા.૧૨-૧૩
ગ્રંથ પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિએ વક્તા પ્રાગજી પુરાણીને વસ્ત્ર, આભૂષણ, ધનાદિકથી ખૂબજ સંતોષ પમાડી મધ્યાહ્ન સમયે વસંતોત્સવ ઉજવ્યો.૧૪
તે ઉત્સવમાં શ્રીહરિએ ગીતવાજિંત્રોના નાદની સાથે પૂજારી નારાયણાનંદાદિ શ્રેષ્ઠ બ્રહ્મચારીઓની પાસે શ્રીલક્ષ્મીનારાયણદેવનું મહાપૂજન કરાવ્યું.૧૫
તે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રીહરિએ આશરે એક હજાર જેટલા બ્રાહ્મણોને જમાડયા અને તેઓને દક્ષિણાની સાથે કોમળ સુંવાળા ધાબડાઓનું દાન કર્યું.૧૬
એ અવસરે વડતાલની સમીપના ગામોના ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શને આવેલા, તે ભક્તો પણ ફરી પોતપોતાના ગામે ચાલ્યા ગયા.૧૭
अपराह्णे ततः स्वामी विजनस्यो हितं नृणाम् । चिन्तयन् पत्रिकां तेभ्यो लिखितुं निश्चिकाय सः १८
सकलेष्वपि देशेषु धर्मशिक्षार्थपत्रिकाम् । लिखामि तेन मद्बक्ता वर्तिष्यन्ते तथैव हि ।। १९
ममाशयो यादृशोऽस्ति तादृशं चापि तेऽखिलाः । तयैवावगमिष्यन्ति भविष्यन्त्यप्यसंशयाः ।। २०
अन्तर्हिते मयि भुवो मदीयानां च सर्वशः । स्फुटमद्वाक्यरूपा सा भवित्र्यालम्बनं भुवि ।। २१
एवं विचार्य धर्मात्मा काकुदं खटिकां च सः । आनयामास भृत्येन लेखिनीं च सुशोभनाम् ।। २२
सच्छास्त्राणां स सर्वेषां सारमाकृष्य सद्धिया । लिलेख पत्रिकां स्वामी सद्धर्मं स्थापयन्भुवि ।। २३
હે રાજન્ ! તે દિવસે બપોર પછી ભગવાન શ્રીસહજાનંદ સ્વામી એકાંત સ્થળમાં બેસી પોતાના આશ્રિત ભક્તજનોનું હિત ચિંતવન કરવા લાગ્યા ને સર્વે ભક્તજનોના હિતને માટે એક મંગલપ્રત્રિકા લખવાનો નિર્ણય કર્યો.૧૮
સમગ્ર દેશોમાં રહેલા ભક્તજનોને ધર્મની શિક્ષા આપતી એક પત્રિકા લખું ને સર્વ પ્રત્યે મોકલું. એ શિક્ષાપત્રીના માધ્યમથી તેનું વાંચન કરવાથી મારા સર્વે આશ્રિતો તે પ્રમાણે વર્તશે.૧૯
મારા અંતરનો આશય જે છે, તેને તે સર્વે ભક્તજનો આ શિક્ષાપત્રીના દ્વારા જાણશે, ને શું કરવું ? તે શું ન કરવું ? ના સંશયથી રહિત થશે.૨૦
હું જ્યારે આ પૃથ્વી પરથી અંતર્ધાન થઇશ ત્યારે આ પૃથ્વી પર મારા સમગ્ર ભક્તજનોને મારા સ્પષ્ટ વાક્યોના સ્વરૂપમાં રહેલી આ શિક્ષાપત્રી આધારરૂપ થશે.૨૧
હે રાજન્ ! આ પ્રમાણે વિચારી ધર્માત્મા શ્રીહરિએ સદાય પોતાની સેવામાં રહેતા શુકાનંદ સ્વામી પાસે કાગળ, શાહીનો ખડિયો ને પાટીયા સાથે સુંદર કલમ મંગાવી.રર
સર્વના સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ આ પૃથ્વી પર સદ્ધર્મનું સ્થાપન કરવા સર્વે શાસ્ત્રોનો સાર પોતાની અતિશય શ્રેષ્ઠ બુદ્ધિથી દહીંમાંથી માખણ તારવી તેમ ગ્રહણ કરીને શિક્ષાપત્રીનું લેખન કરવા લાગ્યા.૨૩
उरौ दक्षे पदृकं काकुदस्य कृत्वा धृत्वा वामदोष्णा नतास्यः । दक्षे पाणौ लेखिनीं कुञ्चिताग्रे बिभ्रत् पत्रीं सोऽलिखद्बूमिपेत्थम् ।। २४
શિક્ષાપત્રી લખતા શ્રીહરિનું ધ્યાન :- હે રાજન્ ! ભગવાન શ્રીસહજાનંદ સ્વામી જમણા સાથળ ઉપર પાટી સહિત કાગળને રાખી ડાબા હસ્તકમળથી તેને પકડી રાખીને આગળના ભાગથી સહેજ વળેલા જમણા હસ્તકમળમાં કલમ ધારણ કરી મુખારવિંદને આગળ સહેજ નમતું રાખી શિક્ષાપત્રી લખવા લાગ્યા.૨૪
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे भगवतो वृत्तालयावासनिरूपणनामा त्रिचत्वारिंशोऽध्यायः ।। ४३
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિ વડતાલપુરે એકાંત સ્થળમાં બેસી શિક્ષાપત્રી લખવાનો પ્રારંભ કર્યો એ નામે તેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૩--