હેમંતસિંહરાજા તથા સુરાખાચરે પોતપોતાના પ્રાંતમાં પધારવાની શ્રીહરિને કરેલી પ્રાર્થના. વ્યવહારકુશળ બન્ને સદ્ગુરુઓની શ્રીહરિએ સલાહ લીધી.
सुव्रत उवाच -
प्रबोगधिन्युत्सवेऽतीते ततो देशं निजं निजम् । दूरदेशीयलोकेषु गच्छत्स्वेवाज्ञाया प्रभोः ।। १
हेमन्तसिंहो नृपतिर्भक्तवात्सल्यमीशितुः । तत्र दृा निजगृहे व्यधित्सत्तादृशोत्सवम् ।।२
सह स्वदेशीयजनैः परिवारेण चात्मनः । तत्रैवोवास नगरं निनीषुः स निजं हरिम् ।। ३
वास्तोरेव गृहे सख्युर्वसंस्तेनातिमानितः प्रार्थनावसरं पश्यन् व्यत्यक्रामद्दिनत्रयम् ।। ४
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પ્રબોધનીનો ઉત્સવ પૂર્ણ થતાં ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દૂર દૂર દેશના ભક્તજનો પોતપોતાના દેશ પ્રત્યે જવા તત્પર થયા.૧
ત્યારે હેમંતસિંહ રાજાએ કારીયાણી ગામે વસ્તાખાચર આદિ ભક્તજનો ઉપર શ્રીહરિના ભક્તવત્સલપણાના ભાવને નિહાળીને પોતાના ભવનમાં પણ એવા જ ઉત્સવો ઉજવવાની મનમાં ઇચ્છા કરી.૨
તેથી પોતાના જુનાગઢ નગરમાં ભગવાન શ્રીહરિને લઇ જવાની મનમાં ઇચ્છા રાખી હેમંતસિંહ રાજા પોતાના સોરઠદેશના અન્ય ભક્તજનો તથા પરિવારના જનોની સાથે કારીયાણીમાં ભગવાન શ્રીહરિની સમીપે જ રોકાઇ ગયા.૩
પોતાના મિત્ર રાજા વસ્તાખાચરના ભવનમાં જ નિવાસ કર્યો, તેમણે અતિશય માન આપ્યું. પછી શ્રીહરિને પોતાના નગર પ્રત્યે લઇ જવાની પ્રાર્થના કરવાનો અવસર જોતાં હેમંતસિંહરાજાને ત્રણ દિવસ વ્યતિત થઇ ગયા.૪
गङ्गाख्या तस्य माता च भार्या जवहराभिधा । भ्राता चानूपसिंहाख्यतद्बार्या पांणसंज्ञिाका ।। ५
अदितिर्भगिनी तस्य मोटिन्याख्या च बन्धुजा । इत्यादिभिश्च स्वजनैः सहितः स नराधिपः ।। ६
मयरामप्रभृतिभिस्तद्देशीयैश्च पूरुषैः । लाडिनीप्रमुखाभिश्च तद्देशस्त्रीभिरन्वितः ।। ७
चतुर्थे दिवसे प्रातः सभायामास्थितं प्रभुम् । प्रणम्य प्रार्थयामास प्रसन्नं समवेक्ष्य तम् ।। ८
हेमन्तसिंह उवाच -
भगवन्सर्वलोकेश ! भक्तवत्सल ! सत्पते ! । दासे मयि कृपां कर्तुं त्वत्पदैकाश्रयेऽर्हसि ।। ९
उत्सवोऽत्र यथा स्वामिन् ! कृतस्तद्वन्ममालये । कर्तव्यो भवता भूमन्सद्धर्माध्वप्रवर्तक ! ।। १०
હે રાજન્ ! હેમંતસિંહરાજાનાં માતા ગંગાબા, પત્ની જવેરબા, ભાઇ અનુપસિંહ તથા તેનાં પત્ની પ્રાણબા, બહેન અદિબા અને કાકાઇભાઇનાં પુત્રી મોટીબા આદિ સંબંધી જનોની સાથે તથા સોરઠદેશના મયારામ ભટ્ટ આદિ ભક્તજનો તથા લાડકીબાઇ આદિ સ્ત્રીઓની સાથે હેમંતસિંહ રાજા ચોથા દિવસે કાર્તિક વદ પડવાના પ્રાતઃકાળે સભામાં વિરાજમાન શ્રીહરિને વિનયપૂર્વક વંદન કરી પ્રાર્થના કરવા લાગ્યા.૫-૮
હેમંતસિંહરાજા કહે છે, હે ભગવાન ! હે સર્વલોકના સ્વામી ! હે ભક્તવત્સલ ! હે સંતોના પતિ ! તમારા જ એક ચરણકમળનો અનન્ય આશ્રય કરનારા આ દાસ એવા મારા ઉપર કૃપા કરો.૯
હે સ્વામિન્ ! હે ભૂમન્ ! હે સદ્ધર્મમાર્ગ પ્રવર્તક ! આ કારીયાણી ગામમાં તમે જે રીતે ઉત્સવ ઉજવ્યો તે જ રીતે મારા ભવનમાં પણ ઉત્સવ ઉજવો.૧૦
भक्तप्रियस्य ते नाथ ! स्वभक्तेष्वखिलेष्वपि । समाना वृत्तिरेवास्ति निर्धनेषु धनिष्यपि ।। ११
अस्मद्देशीयलोकास्तु जीर्णदुर्गागमं तव । भृशमिच्छन्ति भगवन्वृद्धेयं जननी च मे ।। १२
तदा बद्धाञ्जलिपुटो मयरामद्विजोऽब्रवीत् । भगवन्नेवमेव त्वं कर्तुमर्हसि सर्वथा ।। १३
प्रतीक्षन्ते जनाः सर्वे देशेऽस्माकं तवागमम् । भक्तकल्पद्रुमस्तेषां पूरय त्वं मनोरथम् ।। १४
त्वदर्थमेव सम्भाराः सम्भृताः सन्त्येनन च । राज्ञातोऽस्य प्रभो ! तूर्णं कुरु पूर्णं मनोरथम् ।। १५
इत्यर्थितस्तेन राज्ञा वृद्धभट्टेन तेन च । तन्निष्कपटभावज्ञाः प्रीतो भूपावदत्प्रभुः ।। १६
आगमिष्यामि नृपते ! त्वत्पुरं मुनिभिः सह । तव निष्कपटं भावमहं जानामि निश्चितम् ।। १७
હે નાથ ! તમે ભક્તપ્રિય છો. તમને નિર્ધન કે ધનવાન સમગ્ર ભક્તજનોમાં સમભાવ વર્તે છે. હે ભગવાન ! અમારા સોરઠદેશના ભક્તજનો અને આ મારી માતા પણ આપનું જુનાગઢમાં આગમન થાય તેવું ઇચ્છે છે.૧૧-૧૨
હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ પ્રાર્થના કરી તે જ સમયે મયારામ વિપ્ર પણ હાથ જોડી કહેવા લાગ્યા કે, હે ભગવાન ! તમે આ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો.૧૩
હે શ્રીહરિ ! આપના સર્વે ભક્તો આપના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેથી કલ્પવૃક્ષની સમાન આપ તેઓના મનોરથને પૂર્ણ કરો.૧૪
હે પ્રભુ ! આ હેમંતસિંહ રાજાએ તમારી સેવા માટે સર્વે સામગ્રી ભેળી કરી રાખી છે. તેથી તેમનો મનોરથ તમારે જલદી પૂર્ણ કરવો જોઇએ.૧૫
આ પ્રમાણે હેમંતસિંહ રાજા તથા વૃદ્ધ મયારામ વિપ્રે પ્રાર્થના કરી. તેમના નિષ્કપટભાવને જાણતા પ્રભુ અત્યંત પ્રસન્ન થઇ કહેવા લાગ્યા કે, હે હેમંતસિંહ રાજા ! હું સંતોની સાથે તમારા નગર પ્રત્યે જરૂર આવીશ, તમારા નિષ્કપટભાવને જાણું છું.૧૬-૧૭
इत्थं वदत्येव हरौ नागटङ्कपुराधिपः । सूरो बद्धाञ्जलिपुटस्तत्रागच्छत्त्वरान्वितः ।। १८
नाम्ना सातिश्च तत्पत्नी धन्या वल्लूश्च तत्सुते । नाथाख्यस्तत्सुतश्चैते तत्पश्चादाययुर्द्रुतम् ।। १९
तत्पुराधिकृतो वैश्यो नाम्ना सिंहः सभार्यकः । सोऽप्यागतोऽथ तैः साकं नत्वा सूरोऽब्रवीद्धरिम् ।। २०
भगवन्स्वपुरं नेतुं त्वामहं समुपागतः । बहून्यहान्यतीतानि स्थितस्यात्र मम स्वकैः ।। २१
तस्मिन्मयि कृपां कर्तुं त्वमर्हसि निजाश्रिते । इति सम्प्रार्थयन्तं तं दृा सोऽचिन्तयद्धृदि ।। २२
उभावेतावपि दृढं भक्तौ निष्कपटौ मम । सह प्रार्थयतश्च द्वौ प्रेष्टौ चोभौ समौ मम ।। २३
अवश्यमेव हि मया प्रियं कार्ये द्वयोरपि । आदौ कस्य पुरं यामि भेदो न स्याद्यथोभयोः ।। २४
चिन्तयन्निति तिष्ठ त्वं विचार्य कथयामि ते । इत्युक्त्वा वासभवनं जगाम सत्वरं हरिः ।। २५
मञ्चमास्थाय तत्प्रष्टुं सर्वज्ञोऽपि नृनाटयधृत् । ब्रह्मानन्दं मुनिं नित्यानन्दं चाऽह्वास्त सोऽनघ ! ।। २६
શ્રીહરિ આ પ્રમાણે વાત કરતા હતા તેવામાં જ નાગડકાના ગામધણી સુરાખાચર બે હાથ જોડી અતિ ઉતાવળા થઇ શ્રીહરિની સમીપે આવ્યા.૧૮
તેમની સાથે તેમનાં પત્ની શાંતાબા, ધન્યા અને વલ્લુ નામની બે પુત્રીઓ, નાથખાચર નામે પુત્ર પણ તેમની પાછળ તત્કાળ પોતાને ગામ પધારવાની પ્રાર્થના કરવા શ્રીહરિની સમીપે આવ્યા.૧૯
નાગડકાના પટેલ મુખી વૈશ્યજાતિના સિંહજીભાઇ (સંઘાપટેલ) પણ પોતાનાં પત્ની તેજસ્વતીબાઇની સાથે ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા. ત્યારપછી તે સર્વેની સાથે રહી નૃપતિ સુરાખાચર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા.૨૦
હે ભગવાન્ ! હું તમને મારા પુર પ્રત્યે લઇ જવા માટે આવ્યો છું. આ મારા સંબંધીજનોની સાથે અહીં તમારી સમીપે રોકાયો તેને ઘણા દિવસો થઇ ગયા. હું તમારે શરણે છું. તમે મારા ઉપર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરતા સુરાખાચરને નિહાળી શ્રીહરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા.૨૧-૨૨
કે આ બન્ને સુરાખાચર અને હેમંતસિંહરાજા મારા નિષ્કપટ અને નિષ્ઠાવાન ભક્તો છે. બન્ને મને સરખા પ્રિય છે.૨૩
અને એક જ સમયે મારી પ્રાર્થના કરી છે. તેથી મારે બન્નેનું પ્રિય અવશ્ય કરવું જોઇએ. જે રીતે બન્નેને એક બીજા ઉપર ક્રોધ ન થાય અને મારે વિષે વિષમતાબુદ્ધિ ન સર્જાય તે રીતે ગોઠવણ કરી મારે પ્રથમ કોના પુર પ્રત્યે જવું જોઇએ ? આ પ્રમાણે વિચાર કરીને તમે અહીં બેસો હું વિચાર કરીને તમને કહું છું. આ પ્રમાણે સુરાખાચરને કહીને તત્કાળ પોતાના નિવાસસ્થાને પધાર્યા.૨૪-૨૫
ત્યાં પલંગ ઉપર વિરાજમાન થઇ સર્વજ્ઞા હોવા છતાં મનુષ્યનાટય કરતા શ્રીહરિ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને પોતાની સમીપે બોલાવ્યા.૨૬
उपविश्य रहःस्थाने साकं ताभ्यां स ईश्वरः । पप्रच्छ तौ वरीयांसौ निजभक्तौ महामती ।। २७
युवां प्रेष्ठतमौ मे स्थो नेत्रे एव हि सद्धियौ । अतीव निपुणौ सर्वकार्याकार्यावबोधने ।। २८
अतः पृच्छामि वामद्य जातं संशयमात्मनः । सूरहेमन्तयोर्मध्ये प्राग्गम्यं कस्य वा पुरम् ।। २९
गते स्वेकस्य नगरं द्वितीयाप्रियता भवेत् । गन्तव्यं तु ममावश्यमतो युक्तमिहोच्यताम् ।। ३०
इत्थं त्रिलोकीगुरुणा सर्वज्ञोनापि मुग्धवत् । सम्पृष्टौ तौ स्वहृदये विचारं चक्रतुर्मुनी ।। ३१
यं हि भगवान् ! साक्षान्मानुष्यमनुशीलयन् ।अनुग्रहं करोत्येव सम्पृच्छनभिषेण नौ ।। ३२
देवा ब्रह्मादयोऽप्यत्र दूरादेवास्य दर्शनम् । लाभन्ते क्वापि न क्वापि स नौ पृच्छत्यहो रहः ।। ३३
गमनस्य निषेधस्तु कर्तुं शक्योऽस्य नाधुना । उत्कण्ठितो यतोऽस्त्येष गन्तुं नूनं स्वतः प्रभुः ।। ३४
निषेधस्यावयोर्युक्तीर्मंस्यते नैष साम्प्रतम् । अतोऽनुमोद्य गमनं कार्यं प्रश्नोत्तरं किल ।। ३५
વ્યવહારકુશળ બન્ને સદ્ગુરુઓની શ્રીહરિએ સલાહ લીધી :- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ એકાંત સ્થળમાં બેસી પોતાની પાસે આવેલા શ્રેષ્ઠ બુદ્ધિવાળા બન્ને સંતોને પૂછવા લાગ્યા કે, હે સંતો ! તમે સર્વે કાર્ય અને અકાર્યના વિવેકને જાણવામાં નિપુણ છો. અને તમે બન્ને મને અતિશય વ્હાલા અને ડાબા-જમણા નેત્ર સમાન છો.૨૭-૨૮
એથી આજ મને નિર્ણય લેવામાં એક સંશય ઉત્પન્ન થયો છે, તે વિષે તમને પૂછુ છું, કે સુરાખાચર અને હેમંતસિંહરાજાની મધ્યે કોના પુર પ્રત્યે મારે પ્રથમ જવું જોઇએ ?૨૯
બન્નેમાંથી કોઇ એકના નગર પ્રત્યે જઇએ ત્યારે બીજાની ચોક્કસ અપ્રસન્નતા થાય. મને તો બન્નેના પુર પ્રત્યે અવશ્ય જવું છે. તેથી આ સંકટમાં જે કરવું યોગ્ય હોય તે મને જણાવો. કારણ કે બન્ને જણા એક સાથે મને પોતાના પુર પ્રત્યે લઇ જવાની પ્રાર્થના કરે છે.૩૦
આ પ્રમાણે ત્રિલોકીનું માર્ગદર્શન કરનારા ભગવાન શ્રીહરિએ પોતે સર્વજ્ઞા હોવા છતાં પણ મુગ્ધ મનુષ્યની જેમ પૂછયું. ત્યારે બન્ને સંતો અંતરમાં વિચાર કરવા લાગ્યા કે, આ શ્રીહરિ સ્વયં ભગવાન હોવા છતાં મનુષ્યભાવનું અનુકરણ કરી પૂછવાના બહાને આપણા બન્ને ઉપર ખરેખર અનુગ્રહ કરી રહ્યા છે.૩૧-૩૨
આ શ્રીહરિનાં દર્શન જગતપિતા બ્રહ્માદિ દેવતાઓને પણ ક્યારેક દૂરથી થાય છે. અને ક્યારેક થતાં પણ નથી. એવા આ શ્રીહરિ આપણને એકાંત સ્થળમાં પોતાની સમીપે બેસાડી સમસ્યાનું સમાધાન પૂછી રહ્યા છે. તે આશ્ચર્યની વાત છે.૩૩
પોતે નિર્ધારિત કરેલા બન્ને પુર પ્રત્યે જવાના નિર્ણયને અત્યારે કોઇ ફેરવી શકે તેમ નથી. કારણ કે પોતે જ જવા માટે અત્યારે ઉત્કંઠાવાળા થયા છે.૩૪
તેથી બન્ને પુર પ્રત્યે નહીં જવાની આપણી યુક્તિ તે સ્વીકારશે પણ નહિ. માટે તેમણે જવાના નક્કી કરેલા નિર્ણયનું અનુમોદન કરીને તેને અનુરૂપ જ પ્રશ્નનો ઉત્તર કરવો, આવું મનમાં નક્કી કર્યું.૩૫
इति निश्चित्य मनसा ब्रुवाते स्म तमीश्वरम् । यत्पृष्टं भवता स्वामिंस्तत्रेत्त्थं भाति नौ किल ।। ३६
उभौ भक्तौ समानौ ते प्रियं कार्यं द्वयोरपि । सूरं सम्भाव्य गन्तव्यं जीर्णदुर्गे प्रति त्वया ।। ३७
पुरं सूरस्य मार्गेऽस्ति तदुल्लङ्घय त्वया प्रभो ! । जीर्णदुर्गं कथं गन्तुं शक्येत च कदघ्वना ।। ३८
तत आदौ नागटङ्कं गन्तव्यमिति नौ मतिः । अतःपरं यादृशीच्छा भवेत्तव तथा कुरु ।। ३९
सुव्रत उवाच -
इति तयोर्वचनानि निशम्य तौ मतिमतां प्रवरौ स सभाजयन् । मुदितमानस एत्य महासभां हरिरुषाविशदासन आत्मनः ।। ४० ।।
હે રાજન્ ! આ પ્રમાણે નક્કી કરી બન્ને સંતો શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે જે સમસ્યા પૂછી છે. તે બાબતમાં તો અમને આ પ્રમાણે જણાય છે કે, હે મહાપ્રભુ ! બન્ને ભક્તો તમારે માટે સમાન છે અને તમારે બન્નેનું અવશ્ય પ્રિય કરવું જોઇએ. છતાં પણ પ્રથમ તમારે નાગડકા પધારી સુરાખાચરનો સત્કાર સ્વીકારી પછીથી જુનાગઢ પ્રત્યે જવું જોઇએ.૩૬-૩૭
કારણ કે નાગડકાપુર જુનાગઢ માર્ગમાં વચ્ચે આવે છે. તેને છોડીને કોઇ બીજા આડે રસ્તે જુનાગઢ જવું તે કેટલું યોગ્ય જણાય છે ? માર્ગમાં આવતા ગામને છોડીને આગળ જવું બરાબર નથી.૩૭
તેથી પ્રથમ તમારે નાગડકાપુર જવું એવી અમારી બુદ્ધિનો નિર્ણય કહે છે. છતાં પણ જેવી તમારી ઇચ્છા હોય તેમ કરો.૩૯
આ પ્રમાણે બન્ને સંતોનાં વચનો સાંભળી શ્રીહરિ અતિશય વખાણવા લાયક બુદ્ધિવાળાઓની મધ્યે શ્રેષ્ઠ એવા તે બન્ને સંતોની પ્રશંસા કરી તેમનું સન્માન કર્યું, અને અતિશય પ્રસન્ન ચિત્તે મહાસભાના સ્થળે પધારી પોતાના આસન ઉપર વિરાજમાન થયા.૪૦
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थ प्रकरणे कार्यायनग्रामे हेमन्तसिंहसूरामन्त्रणे तत्पुरगमनसम्मन्त्रणनिरूपणनामा पञ्चदशोऽध्यायः ।। १५ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કારીયાણી ગામે હેમંતસિંહ રાજા તથા સુરાખાચરે પોતપોતાના પુર પ્રત્યે પધારવા આમંત્રણ આપ્યું ત્યારે પ્રથમ ક્યાં જવું તેનું નિરૂપણ કર્યું એ નામે પંદરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૫--