અધ્યાય - ૧૨ - શ્રીહરિએ જન્માષ્ટમીવ્રતનું યથાર્થ આચરણ કરી શ્રીકૃષ્ણ ભગવાનના તથા ગુરુ રામાનંદ સ્વામીના પ્રાગટયનો ઉત્સવ ઉજવ્યો.

શ્રીહરિએ જન્માષ્ટમીનું યથાર્થ આચરણ કરી શ્રીકૃષ્ણ ભગવાનના તથા ગુરુ રામાનંદ સ્વામીના પ્રાગટયનો ઉત્સવ ઉજવ્યો.

सुव्रत उवाच -

उषस्युत्थाय भगवानष्टम्यामाह्निकं नृप ! कृत्वा चकार स्वाचार्यसमर्चनमहोत्सवम् ।। १

उद्धवस्वामिनः पूजां समाप्याभ्यर्च्य वर्णिनः । ततः स मण्डपं रम्यं बन्धयामास पार्षदैः ।। २

विचित्रवस्त्रशोभाढये कदलीस्तम्भमण्डिते । तस्मिंश्च देवतापीठं कारयामास शोभनम् ।। ३

सर्वैर्भक्तजनैः साकं निराहारः स तद्दिने । प्रतिमाः कारयामास हैमीः पूजयितुं निशि ।। ४

दिनं तु सकलं निन्ये कृष्णकीर्तनगायनैः । निशि स्नत्वा महापूजां पूर्वोक्तविधिनाकरोत् ।। ५

कृष्णं च देवकीं नन्दं यशोदाद्याश्च देवताः । पञ्चामृतेन संस्नाप्य सोऽभ्यषिञ्चत्सदम्बुभिः ।। ६

महाभिषेकं कृत्वैव नवीनैर्वस्त्रभूषणैः । सुगन्धिना चन्दनेन कौंकुमेनाक्षतैः शुभैः ।। ७

नानाविधैः सुरभिभिः पुष्पैश्च तुलसीदलैः । दूर्वया बिल्वपत्रैश्च पूजयामास केतकैः ।। ८

उञ्चारयन्नाममन्त्रं प्रतिपत्रं स वैष्णवम् । कृष्णमानर्च रुचिरैः सहस्रतुलसीदलैः ।। ९

धूपं दीपं ततः कृत्वा नैवेद्यं स चतुर्विधम् । समर्प्य फलताम्बूलदक्षिणाभिरपूजयत् ।। १०

महानीराजनं कृत्वा दत्त्वा पुष्पाञ्जलिं ततः । नत्वाभ्यर्च्य ब्राह्मणांश्च स पूजां तां समापयत् ।। ११

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ જન્માષ્ટમીને દિવસે પાંચ ઘડી રાત્રી બાકી હતી ત્યારે જાગ્રત થયા અને સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ કરી પોતાના ગુરુ શ્રીરામાનંદ સ્વામીના પ્રાગટયનો મહાપૂજા મહોત્સવ ઉજવ્યો.૧ 

ઉધ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીની પૂજાની સમાપ્તિ કરી, નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પૂજા કરી, અને પોતાના પાર્ષદો પાસે અતિશય રમણીય મંડપ બંધાવ્યો.૨ 

રંગબેરંગી વસ્ત્રોથી શોભાયુક્ત કેળાના સ્તંભથી રચેલા તે મંડપની મધ્યે શ્રીકૃષ્ણ ભગવાનની અને દેવતાઓની સ્થાપના કરવા રમણીય પીઠની સ્થાપના કરી.૩ 

તે દિવસ સર્વ ભક્તજનોની સાથે ઉપવાસી રહીને શ્રીહરિએ રાત્રે પૂજા કરવા માટે ભગવાનની સુવર્ણની પ્રતિમા તૈયાર કરવી.૪ 

તેમજ ભગવાન શ્રીહરિએ આજનો આખો દિવસ શ્રીકૃષ્ણ ભગવાનના સંકીર્તનોનું ગાન કરાવવામાં જ પસાર કર્યો અને રાત્રીએ ફલ્ગુ નદીના નિર્મળ જળમાં સ્નાન કરી પૂર્વોક્ત વિધિ પ્રમાણે મહાપૂજા કરી.૫ 

શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાન, દેવકીજી, નંદજી અને યશોદાજી વગેરેને પંચામૃતથી સ્નાન કરાવ્યું ને શુદ્ધજળથી અભિષેક કર્યો.૬ 

પછી નવીન વસ્ત્રો, આભૂષણો, સુગંધીમાન કેસર, અને કુંકુમયુક્ત ચંદન, ચોખા, અનેક પ્રકારના સુગંધીમાન પુષ્પો, તુલસીપત્ર, દૂર્વા, બિલીપત્રો અને કેતકીથી પૂજન કર્યું.૭-૮ 

હે રાજન્ ! શ્રીહરિએ પૂજન વિધિમાં એક એક તુલસીપત્રના અર્પણ સમયે શ્રીકૃષ્ણ ભગવાનના નામ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં એક હજાર તુલસી પત્રોથી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરી.૯ 

પછી ધૂપ, દીપ અર્પણ કરી ચાર પ્રકારના પક્વાનોનું નૈવેદ્ય અર્પણ કરીને ફળ, પાનબીડું તથા દક્ષિણાથી પૂજન કરી, મહા આરતી કરી, પુષ્પાંજલી અર્પણ કરી, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બ્રાહ્મણોનું પૂજન કર્યું ને પૂજાની સમાપ્તિ કરી.૧૦-૧૧ 

कृष्णमान्दोलयन् प्रेङ्खे तज्जन्मचरितं स च । शृण्वन्भागवतप्रोक्तं निनाय रजनीं तु ताम् ।। १२

प्रातः पुनर्नित्यकृत्यं विधायोत्तरपूजनम् । कृत्वा मूर्तीर्ब्राह्मणाय दत्त्वा विप्रानभोजयत् ।। १३

स्वं दृा पारणां कर्तुमीहमानेभ्य आत्मनः । भक्तेभ्यो दर्शनं दत्त्वा ततश्चके स पारणाम् ।। १४

अपरो सभायां च नदीतीरे सुशोभने । स्थितः परिवृतो भक्तैः सद्धर्मांस्तानशिक्षयत् ।। १५

प्रश्नोत्तरैरनेकैश्च भक्तानां विदुषामपि । उदच्छिनत्संशयांश्च प्रथयन्स्वं यशोऽमलम् ।। १६

सर्वेऽपि तं भक्तजनाः पूजयन्ति स्म सादरम् । सितैः पीतैस्तथा रक्तैर्वस्त्रैर्हैमैर्विभूषणैः ।। १७

चन्दनैः पुष्पहारैश्च मुक्ताशेखरपङ्किभिः । उपहारैर्बहुर्विधैस्तं सम्पूज्य ववन्दिरे ।। १८

पौराः सर्वेऽपि तं भक्तया सेवमानाश्च तज्जनान् । प्रभुं सन्तोषयामासुः सस्त्रियो दम्भवर्जिताः ।। १९

देशान्तरीयाः शतशो जनास्तं भक्तवत्सलम् । मुनिभिः पार्षदै साकं सम्भोजयितुमार्थयन् ।। २०

ततस्तेषां स भगवान्पूर्णं कर्तुं मनोरथम् । इच्छंस्तत्प्रार्थनां राजंस्तदानीमन्वमोदत ।। २१

ततः क्रमेण धनिका भक्तास्तं मुनिभिः सह । पार्षदाद्यैश्च भक्त्यैव भोजयन्ति स्म तेऽन्वहम् ।। २२

હે રાજન્ શ્રીબાલકૃષ્ણ ભગવાનને પારણિયામાં પધરાવી શ્રીહરિ ઝુલાવવા લાગ્યા, ને શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલી ભગવાનના જન્મ ચરિત્રોની કથા સાંભળતાં રાત્રીને જાગરણ કરતાં પસાર કરી.૧૨ 

અને નવમીના પ્રાતઃકાળે સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ કરી ઉત્તરપૂજા કરી ભગવાનની મૂર્તિનું બ્રાહ્મણોને દાન કર્યું ને અનંત વિપ્રોને ચાર પ્રકારનાં અન્ન જમાડી તૃપ્ત કર્યા.૧૩ 

હે રાજન્ ! શ્રીહરિના દર્શન કરીને જ ભોજન કરવાના નિયમવાળા ભક્તજનોને શ્રીહરિ પોતાનું દર્શન આપી ત્યારપછી પારણાં કર્યાં.૧૪ 

અને બપોર પછી દિવસના ચોથા મુહૂર્તમાં રમણીય ફલ્ગુ નદીને તીરે કરેલી મહાસભામાં પોતાના ભક્તજનોની સાથે વિરાજતા શ્રીહરિએ તેઓને ભાગવતધર્મની શિક્ષા આપી.૧૫ 

આ પૃથ્વી પર પોતાના નિર્મળ યશને વિસ્તારતા ભગવાન શ્રીહરિએ વિદ્વાન ભક્તજનોએ પૂછેલા અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપી તેઓને નિઃસંશય કર્યા.૧૬ 

હે રાજન્ ! તે સર્વે ભક્તજનોએ શ્રીહરિને આદરપૂર્વક શ્વેત, પીળા, લાલ વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો ધારણ કરાવ્યા.૧૭ 

ને ચંદન, પુષ્પનાહાર, મોતીઓના તોરાની પંક્તિ તથા અનેક પ્રકારના ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરી નમસ્કાર કર્યા.૧૮ 

આ રીતે નિષ્કપટ ભાવવાળા સર્વે સારંગપુરવાસી ભક્તજનોએ પોતાની સ્ત્રીઓને સાથે રાખી શ્રીહરિની તથા સાથે આવેલા તથા દર્શને આવેલા સર્વે ભક્તજનોની સેવા કરી પ્રસન્ન કર્યા.૧૯ 

તે સમયે દેશાંતર નિવાસી સેંકડો હરિભક્તોએ સંતો તેમજ પાર્ષદોની સાથે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિને પોતાને ત્યાં ભોજન કરવા પધારવા પ્રાર્થના કરી.૨૦ 

હે રાજન્ ! તે પ્રાર્થના સાંભળી શ્રીહરિને તેઓના મનોરથો પૂર્ણ કરવાની ઇચ્છા થઇ તેથી એ જ સમયે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.૨૧ 

ત્યાર પછી ધનવાન ભક્તજનો સંતો તથા પાર્ષદોએ સહિત ભગવાન શ્રીહરિને અનુક્રમે દરરોજ ભક્તિભાવ પૂર્વક રસોઇ આપી ભોજન કરાવવા લાગ્યા.૨૨ 

एवं निवसतस्तस्य भक्तानन्दनिधेर्हरेः । व्यतीयाय नभोमासः प्राप्ता च ऋषिपञ्चमी ।। २३

सप्तर्षिपूजासहितं स तत्तु स्त्रीः कारयामास व्रतं च सर्वाः । तासां रजोदूषणमब्दजातं संशोधयन् निर्मलधर्मपोष्टा ।। २४

હે રાજન્ ! આ પ્રમાણે સારંગપુરમાં નિવાસ કરી રહેલા ભક્તજનોના આનંદનિધિ ભગવાન શ્રીહરિનો શ્રાવણ મહિનો પ્રસાર થયો ને ભાદરવા સુદની ઋષિપંચમી તિથિ પ્રાપ્ત થઇ.૨૩ 

વિશુદ્ધ ધર્મના ઉપદેશક શ્રીહરિએ સ્ત્રીઓના રજસ્વલા ધર્મપાલનમાં કોઇ રહી ગયેલા દોષનું નિવારણ કરવા માટે વર્ષમાં એકવાર આવતા આ ઋષિપંચમીના વ્રતના અનુષ્ઠાનથી સ્ત્રીઓની શુદ્ધિને માટે તેમની પાસે સપ્તર્ષિઓનું પૂજન કરાવી, ઋષિપંચમીના વ્રતનું પાલન કરાવ્યું. આ વ્રત સ્ત્રીઓને અવશ્ય કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.૨૪

इति श्री सत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे सारङ्गपुरे जन्माष्टम्युत्सवे व्रताचरणनिरूपणनामा द्वादशोऽध्यायः ।। १२ ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ જન્માષ્ટમીના વ્રતનું પાલન કર્યાનું નિરૂપણ કર્યું એ નામે બારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૨--