સ્નેહગીતા - કડવું ૧૦<br />

વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા'લ્યમે વિચાર્યું એવું મનમાંયજી ।
અલબેલે માંડયો પછી એહ ઉપાયજી, અક્રુર આવિયા તેહ સમે ત્યાંયજી ।।૧।।

ઢાળ –તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઇ ડા પને ।
રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।।
આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર ।
ગોપી વળી ટોળે મળી, વળી કરેછે વિચાર ।।૩।।
આ દિન મોર્યે આવો કોઇ, નંદ ભવને નથી જો આવિયો ।
બાઇ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો ।।૪।।
બાઇ સગો નહિ એ શત્રુ છે કોઇ, નંદ યશોદા ગોપને ।
નિશ્ચે કાંઇક નવું નિપજશે, તમે દેખજો દૈવના કોપને ।।૫।।
જાવો બાઇ જુવો જૈને, સુણજો વળી એની વાતડી ।
વા'લો થઇ કોઇ વૈરિ વસે, આવ્યો એ કરવા ઘાતડી ।।૬।।
કોરે તેડી બાઇ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે ।
હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।।
વ્રજજનનું જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે ।
વિઘન માંયથી વા'લી વસ્તુ, બાઇ બચાવિને લીજીયે ।।૮।।
એમ આકુળ વ્યાકુળ થાય અબળા, માંહોમાંહિ મનસુબો કરે ।
આતો આવ્યો કાળપે કોય, રખે પ્રાણ બાઇ આપણા હરે ।।૯।।
પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઇ અક્રુર એનું નામ છે ।
નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઇક એને કામ છે ।।૧૦।। કડવું ।।૧૦।।