સ્નેહગીતા - કડવું ૧૧<br />

આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઇક કપટ ભીંતરે આવ્યો ભરીજી ।
કોરે જઇ કૃષ્ણને કાંઇક વાત કરીજી, તેહ નથી કે'તા હૈયાનું આપણને હરિજી ।।૧।।
ઢાળ –હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા ।
પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ।।૨।।
કોણ જાણે બાઇ કેમ કરશે, કળ પડતી નથી કાંય ।
પુછો જઇ પ્રાણ-જીવનને, શું છે એના બાઇ મનમાંય ।।૩।।
એમ કરતાં અક્રુરના, મનનો તે મર્મ જાણિયો ।
શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઇ આણિયો ।।૪।।
એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી ।
જેમ પ્રાણ રહિત વત પુતળાં, એવી ગત્ય થઇ ગોપીતણી ।।૫।।
લડથડે કોઇ પડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની ।
શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નિંક નયણે ચાલી નીરની ।।૬।।
૧વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું ।
જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઇ પેરે ધરશું ।।૭।।
આવ્યો અક્રુર કાળપે, હમણાં પ્રાણ લઇને હાલશે ।
પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ ૨સાલશે ।।૮।।
ગયું ધન જોબન દિન જે, તે પાછું નથી કોઇ પામતાં ।
એમ આપણે થાશે અબળા, હરિ હીરો ૩વામતાં ।।૯।।
નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે'શું અંગે ।
નિષ્કુલાનંદના નાથ સાથે, હવે ક્યાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું ।।૧૧।।