जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः | शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ||६-७||
શ્લોકાર્થ
જેણે પોતાનું મન જીત્યું છે અને જે સર્વથા શાન્ત થયેલો છે. તે પુરૂષને શીત-ઉષ્ણ, સુખ-દુઃખ, તથા માન-અપમાન, એ સર્વ સમયમાં પોતાનો શ્રેષ્ઠ-શુદ્ધ આત્મા સમાધાન પામેલો સ્થિરભાવે વર્તે છે. ।।૭।।
ભાવાર્થ
અથવા તો-પ્રશાન્ત એવા શુદ્ધ ક્ષેત્રજ્ઞા-જીવાત્માના મનને વિષે પરમાત્મા પરમેશ્વર સમ્યક્ પ્રકારે રહેલા છે, એટલે કે-કહેલાં એ સાધનોથી સંપન્ન એવા પુરૂષે પરમાત્મા તુરત જ પ્રાપ્ત કરાય છે. એ અભિપ્રાય છે. ।।૭।।