तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् | यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ||६-४३||
શ્લોકાર્થ
અને તે પ્રાપ્ત થયેલા જન્મમાં પૂર્વ દેહના સંસ્કારસિદ્ધ તે બુદ્ધિસંયોગને પામે છે. હે કુરૂનંદન ! આવો જન્મ પામીને પછી યોગસિદ્ધિ મેળવવા માટે ફરીથી પ્રયત્ન કરે છે. ।।૪૩।।
ભાવાર્થ
આવો જન્મ પામ્યા પછી શું ? એમ શંકા ઉઠાવીને કહે છે - તે બન્ને પ્રકારના જન્મમાં તે પૂર્વદેહે અભ્યાસ કરેલા બુદ્ધિસંયોગને, એટલેકે - આત્મા પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારા વિવેકવાળી બુદ્ધિના સંબંધને યોગભ્રષ્ટ પુરૂષ પામે છે ઃ હે કરૂણાનંદન ! એવો દુર્લભ જન્મ પ્રાપ્ત થયા પછી ઉંઘીને જાગેલોજ જેમ એમ એ ન્યાયથી-પ્રકારથી, ફરીથી પાછો યોગફળની સિદ્ધિ નિમિત્તે કોઇ પ્રકારનાં વિધ્નોથી ફરીથી જેમ પરાભવ ન પામે તે પ્રમાણેજ પૂરેપૂરો પ્રયત્ન કરે છે. એમ અભિપ્રાય છે. ।।૪૩।।