श्रीभगवानुवाच | पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते | न हि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात गच्छति ||६-४०||
શ્લોકાર્થ
શ્રી ભગવાન કહે છે-તેનો આ લોકમાં અને પરલોકમાં પણ વિનાશ-માર્ગથી ભ્રષ્ટ થતો જ નથી. કારણકે - હે તાત !કલ્યાણના સાધનમાં પ્રવર્તેલો કોઇ દુર્ગતિને પામતોજ નથી. ।।૪૦।।
ભાવાર્થ
હવે-પૃથાપુત્ર અર્જુનનો સંદેહ નિવારણ કરતા થકા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - શ્રી ભગવાન કહે છે-હે પાર્થ ! તે યોગભ્રષ્ટનો આ લોકમાં વિનાશ નથી થતો. તેમ પરલોકમાં પણ વિનાશ એટલે નરકપાત નથી થતો. કારણ કે-મોક્ષના સાધન ભૂત સત્કર્મ કરનારો કોઇ પણ પુરૂષ દુર્ગતિ એટલે અસદ્વતિને નથી જ પામતો. હે તાત! આવું વ્હાલભર્યું સંબોધન લોકમાં બોલાતા પ્રકારથી ઉપલાલન માટે છે. ।।૪૦।।