अर्जुन उवाच | योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन | एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ||६-३३||
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् | तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ||६-३४||
શ્લોકાર્થ
અર્જુન પૂછે છે- હે મધુસૂદન ! જે આ સમભાવથી રાખવાનો સામ્ય યોગ તમે મને કહ્યો, એ સામ્યયોગની સ્થિર સ્થિતિ હું મનની ચંચળતાને લીધે જોઇ શકતો નથી.
કારણ કે-હે કૃષ્ણ ! મન ખરેખર ચંચળ, તોફાની, અતિ બળવાન અને અતિ અતિ દુષ્કર કાર્ય છે એમ હું માનું છું. ।।૩૩-૩૪।।
ભાવાર્થ
ઉપર કહેલા લક્ષણવાળા યોગને અતિ દુષ્કર માનીને અર્જુન પૂછે છે - અર્જુન પૂછે છે-હે મધુસૂદન ! સિદ્ધિ-અસિદ્ધિમાં, માન-અપમાનમાં, તેમ- રાજા અને રંકમાં, તથા સારા-નરસા વિષયોમાં પણ, સમપણે વર્તવાથી સિદ્ધ થતો જે આ યોગ ધ્યેય આત્મત્તત્ત્વમાં ચિત્તવૃત્તિના નિરોધરૂપ સમાધિ, તમોએ કહી બતાવ્યો, એ સમાધિયોગની મારામાં ઘણો વખત સ્થિર સ્થિતિ હું નથી જોતો. કારણ કે-મનની અતિ ચંચળતા છે માટે. ।।૩૩।।
હવે મનની ચંચળતા નિરૂપણ કરી બતાવે છે - હે કૃષ્ણ ! સ્વભાવથીજ અતિ ચપળ, તેમજ દેહ અને ઇન્દ્રિયોને અતિ મંથન કરવાના સ્વભાવવાળું. અર્થાત્-દેહ ઇન્દ્રિયોને અતિ ક્ષોભ કરનારૂં અને શાસ્ત્રજ્ઞા પુરૂષોએ પણ વિચાર-આત્મવિચાર વિગેરે સાધનોથી પણ વશ કરવામાં બહુજ અશક્ય અને વળી-વિષયોમાં અતિ આસક્ત-આતુર હોવાથી મનુષ્યોએ પાછું વાળીને પોતાના વશમાં રાખવામાં અતિ કઠિન એવું મન છે. માટે ઉપર કહેલાં લક્ષણ-સ્વભાવે યુક્ત મનનો નિગ્રહ જે ધ્યેય વસ્તુમાં નિરોધ કરવો, તે તો જેમ સર્વતોગામી વાયુનો એક સ્થળમાં નિગ્રહ કરવો અતિ દુષ્કર છે, તે જ પ્રમાણે અતિ દુષ્કર છે, એટલે કે-એ મનને સર્વથા વશ કરવું એ કાર્ય અતિ અશક્ય છે. એમ હું નિશ્ચેજ માનું છું. માટે મનોનિગ્રહની અતિ દુષ્કરતા હોવાથી તેના નિગ્રહનો ઉપાય મને કહો એ અભિપ્રાય છે. ।।૩૪।।