यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते | निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ||६-१८||
શ્લોકાર્થ
વિશેષપણે નિયમમાં કરેલું મન જ્યારે આત્મસ્વરૂપમાં જ સ્થિર થઇને રહે છે. અને સર્વ કામનાઓથી રહિત થઇ જાય છે, ત્યારેજ તે યોગી પરમાત્મોપાસનમાં યુક્ત-યોગ્યતાવાળો કહેવાય છે. ।।૧૮।।
ભાવાર્થ
આમ કરતાં સિદ્ધ યોગવાળો ક્યારે થાય ? તે કહે છે - સમ્યક્-પ્રકારે નિયમમાં કરેલું ચિત્ત આત્મસ્વરૂપમાંજ જ્યારે સુસ્થિરપણે વર્તે છે. અને આત્મસુખના અનુભવથી તે સિવાયના પ્રાકૃત વિષયોમાં દોષનું સતત દર્શન-જ્ઞાન થવાથી સમૂળ ટળી ગઇ છે તૃષ્ણા જેને, તેવો પુરૂષ યુક્ત - યોગમાં આરૂઢ-પૂરેપૂરો પ્રવર્તેલો એમ કહેવાય છે. ।।૧૮।।