શ્લોક ૧૫

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः | शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ||६-१५||

શ્લોકાર્થ

આ પ્રમાણે પોતાનો યોગાભ્યાસ સદાય કર્યા કરનારો યોગી પોતાના મનને વશમાં કરીને નિર્વાણપ્રધાન એવી મારા સ્વરૂપમાં રહેલી પરમ શાંતિ પામે છે. ।।૧૫।।


ભાવાર્થ

હવે-આવો યોગ સાધનારને તે યોગનું ફળ કહી બતાવે છે - યોગસિદ્ધિની આકાંક્ષાવાળો સાધક-યોગી, આ કહ્યું એ પ્રમાણે અખંડિતપણે પરાત્પર પુરૂષોત્તમ એવા મારે વિષે પોતાના મનને સ્થિર કરતાં કરતાં, મારૂં અખંડ ધ્યાન કરવાથી વશ કર્યું છે મન જેણે એવો થકો, પરમ-સર્વોત્કૃષ્ટ નિર્વાણ સુખ જેમાં અખંડ રહેલું છે એવી મારા સ્વરૂપમાં તૈલધારાવત્ અવિચ્છિન્ન ચિત્તની એકાગ્રતારૂપ સમ્પ્રજ્ઞાત્ત સમાધિને સર્વથા પામી જાય છે. ।।૧૫।।