सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे | आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ||४-२७||
શ્ર્લોકાર્થ
વળી-બીજા કેટલાક જ્ઞાનથી સુપ્રકાશિત મનઃસંયમપ યોગાગ્નિમાં સર્વ ઇન્દ્રિકર્મો અને પ્રાણકર્મો પણ હોમે છે-મનઃસંયમ દ્વારા સ્વવશમાં રાખે છે. ।।૨૭।।
ભાવાર્થ
બીજા-ધ્યાનનિષ્ઠ યોગીઓ, જ્ઞાનથી પ્રકાશિત એવા આત્મસંયમપ યોગાગ્નિમાં એટલે કે-પોતાના મનનું સ્વસ્વપમાં નિયમન કરવું તેજ યોગ અને તે પ અગ્નિને વિષે શ્રોત્રાદિક જ્ઞાનેન્દ્રિયો અને વાગાદિક કર્મેન્દ્રિયોનાં કર્મ જે શ્રવણાદિક અને બોલવું વિગેરે ક્રિયાઓ, તેમજ સઘળાં પ્રાણકર્મ પણ હોમે છે, અર્થાત્-સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ધ્યાનમાંજ પ્રવર્તેલા હોય છે. ।।૨૭।।