શ્લોક ૩૧-૩૨

पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् | झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ||१०-३१||

सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन | अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ||१०-३२||


શ્લોકાર્થ

વહેતા વેગવાળાં પદાર્થોમાં પવન હું જ છું. શસ્ત્રધારીઓમાં દશરથપુત્ર શ્રીરામ હું છું. માછલાઓમાં મઘર હું છું. અને વહેતા પ્રવાહ-નદીઓમાં જહ્નુકન્યા ગંગા હું છું. ।।૩૧।।

હે અર્જુન ! દરેક સર્ગોનો આદિ અન્ત અને મધ્ય પણ હુંજ છું. વિદ્યાઓમાં આધ્યાત્મવિદ્યા હું છું. અને વાદ કરનારાઓના વાદનો વિષય હું છું. ।।૩૨।।


ભાવાર્થ

વળી-પાવન કરનારા પદાર્થોમાં પવન-વાયું હું છું. શસ્ત્રધારીઓના મધ્યે દશરથપુત્ર રામ હું છું- આ મારો મોટો અવતાર છે. પણ બીજી વિભૂતિઓની માફક આ કેવળ વિભૂતિ નથી. મત્સ્ય જાતિના પ્રાણીઓમાં મધર હું છું. વહેતા પ્રવાહવાળી નદીઓના મધ્યે ભાગીરથી-ગંગા નદી હું છું.

હે અર્જુન ! સૃષ્ટિના આરંભમાં દરેક સર્ગનો આદિ-કારણ હું છું. જ્યાં જ્યાં સદાય ઉત્પન્ન થતા સર્વે જંતુઓ-પ્રાણીઓ, તેમના તેમાં જે ઉત્પાદન કરનારા છે તે, અને તે ઉત્પન્ન થએલાઓનો અંત, એટલે કે સદાય જે તેમનો સંહાર કરનારા છે. અને મધ્ય-પાલન, એટલે કે-પાલન કરવામાં આવતા પ્રાણીઓના જેપાળક-પાલન કરનારા છે. તે સઘળાય હુંજ છું. અર્થાત્ - તે સર્વનો પ્રવર્તક અને પ્રેરક હુંજ છું. અભ્યુદયના સાધનભૂત વિદ્યાઓના મધ્યે અધ્યાત્મવિદ્યા-બ્રહ્મવિદ્યા હું છું. અને સામ-સામા પ્રવાદ કરનારાઓનો વાદ જે છે, તે હું છું. કારણ કે-વાદ એ જલ્પ અને વિતંડા વિગેરે કરતાં અતિશ્રેષ્ઠ છે માટે. ।।૩૧-૩૨।।