શ્લોક ૨૩-૨૪

વળી-અગીયારની સંખ્યાથી રહેલા રૂદ્રોના મધ્યે શંકર નામે રૂદ્ર હું છું. યક્ષો અને રાક્ષસોના મધ્યે ધનાધિપતિ વિશ્રવણનો પુત્ર કુબેર હું છું. આઠની સંખ્યાથી રહેલા વસુદેવોના મધ્યે પાવક નામ વસુ હું છું અને સુંદર શિખરોની શોભાએ સમ્પન્ન મહાપર્વતોના મધ્યે મેરૂનામે પર્વત હું છું.

रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् | वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ||१०-२३||

पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् | सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ||१०-२४||

શ્લોકાર્થ

અગીયાર રૂદ્રોમાં શંકર હું છું . યક્ષોમાં અને રાક્ષસોમાં કુબેર હું છું. આઠ વસુદેવોમાં પાવક નામે વસુ હું છું. શિખરોવાળા પર્વતોમાં મેરૂ નામે પર્વત હું છું. ।।
હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય જે દેવગુરૂ બૃહસ્પતિ તે મને જાણ ! સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું. અને જળાશયોમાં સાગર હું છું. ।।૨૩-૨૪।।


ભાવાર્થ

વળી-હે પાર્થ ! સર્વ પુરોહિતોના મધ્યે બૃહસ્પતિ, કે જે દેવોના પુરોહિત હોવાથી સર્વ પુરોહિતોમાં સુખ્ય અંગીરા મુનિના પુત્ર છે, તેે મને જાણ-એ મારી વિભૂતિ છે. એમ જાણ ! સર્વ સેનાપતિઓના મધ્યે દેવતાઓના સેનાધિપતિ કાર્તિકસ્વામી હું છું. સર્વ મહાજળાશયોના મધ્યે સાગર-સમુદ્ર હું છું. ।।૨૩-૨૪।।