શ્લોક ૧૯

श्रीभगवानुवाच | हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः | प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ||१०-१९||

શ્લોકાર્થ

શ્રી ભગવાન કહે છે- ભલે ત્યારે હે કુરૂશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણકે-મારી વિભૂતિઓના વિસ્તારનો અંત તો નથી જ. ।।૧૯।।


ભાવાર્થ

આ પ્રમાણે અર્જુને પુછેલા શ્રીભગવાન કહે છે- હન્ત એ શબ્દ અનુગ્રહ સૂચવનારો છે. હે કુરૂશ્રેષ્ઠ ! લોકમાં તેજસ્વી જણાતી પ્રસિદ્ધ એવી જે મારી વિભૂતિઓ મારા ઐશ્વર્યે યુક્ત પદાર્થો છે, તે વિભૂતિઓ પ્રધાનપણે જે જે છે તે હું તને કહી બતાવીશ, પ્રધાનપણે એમ કેમ ? તો કહે છે- કે અનેક વિભૂતિઓથી વિસ્તાર પામેલા મારી વિભૂતિઓનો અન્ત-સંખ્યાનો નિર્ણય જ નથી નિશ્ચેજ. ।।૧૯।।