स्कन्द उवाच
ततो हृष्टाः काश्यपेया मन्थस्थानमुपेत्य ते ।
पुनर्वर्षसहरुं च मन्थन्ति स्म पयोनिधिम् ।।१।।
અધ્યાય ૧૨ મો.
કાર્તિક સ્વામી કહે છે- હે સાવર્ણિ મુને ! શિવજીએ વિષપાન કર્યા પછી બહુ હર્ષને પામેલા દેવો તથા દૈત્યો મંથન કરવાના સ્થાન પ્રત્યે પાછા આવીને, વળી ફરીથી એક હજાર વર્ષ પર્યંત સમુદ્ર મંથનમાં તત્પર થઇ રહ્યા. ।।૧।।
मथ्यमानात्तथा सिन्धोः सर्वैस्तैरपि किञ्चन ।
नासीच्च शिथिला आसन्मन्थितारः श्वसन्मुखाः ।।२।।
તત્પર તે સર્વેએ હજાર વર્ષપર્યંત સતત સમુદ્રમંથન કર્યું, પણ તેમાંથી જ્યારે કાંઇપણ વસ્તુ નીકળ્યું નહિ ત્યારે તે મથનારાઓ શ્વાસભરપુર મુખવાળા હોઇને અતિશય શિથિલ થઇ ગયા. ।।૨।।
वासुकिश्च महासर्पः प्राणवैक्लव्यमाप्तवान् ।
मन्थकाले मन्दरो।पि नैकत्रासीत्स्थिरस्थितिः ।।३।।
મહાસર્પ વાસુકીતો પ્રાણાંત પીડાને પામી ગયો, મથવાને સમયે મંદરાચળ પણ નિયત સ્થળે સ્થિર સ્થિતિવાળો રહી શક્યો નહિ, આડો અવડો ડોલવા લાગ્યો. ।।૩।।
सर्वान् दृष्ट्वा निरुत्साहान् प्रद्युम्नो विष्ण्वनुज्ञाया ।
देवासुराहिराजेषु प्रविश्य बलमादधौ ।।४।।
આ રીતે સર્વેને નિરૂત્સાહી જોઇને વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી પ્રદ્યુમ્ન ભગવાને દેવો અસુરો અને વાસુકીમાં પ્રવેશ કરીને બળ ધારણ કર્યું. ।।૪।।
अनिरुद्धो।पि तर्ह्येव तमाक्रम्य नगाधिपम् ।
सहरुबाहुभिस्तस्थौ महाचल इवापरः ।।५।।
વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી અનિરૂદ્ધ પણ તે જ સમયમાં નગરાજ મંદરાચળને હજાર હાથવડે ડબાવીને બીજો મહાચળ હોયને શું ? એમ તેની ઉપર સ્થિર સ્થિતિ માટે બેઠા. ।।૫।।
.ततो ममन्थुस्तरसा सम्प्राप्तपरमौजसः ।
सविस्मया महाब्धिं ते सुरासुरगणा मुदा ।।६।।
મંદરાચળની સ્થિર સ્થિતિ થયા પછી બહુ બળને પામેલા તથા વિસ્મયને પામેલા તે સુરગણો અને અસુરગણો આનંદ પૂર્વક વેગથી મહાસમુદ્રને મથવા મંડયા. ।।૬।।
नारायणानुभावेन नापुर्देवादयः श्रमम् ।
शुशुभे मन्मथं तच्च सममाकर्षणात्तदा ।।७।।
આ રીતે દેવાદિકો તીવ્ર વેગથી મંથવા મંડયા પણ શ્રીનારાયણના પરમ પ્રતાપને લીધે તેના શ્રમને પામ્યા નહિ. મંથન કરવાને સમયે સમ-ન્યૂન નહિ તેમ અધિક પણ નહિ, એમ સરખી રીતે આકર્ષણ (વલોણું) થવાથી તે મંથન બહુજ શોભાયમાન થયું. ।।૭।।
मथ्यमाने महाम्भोधौ सुरुवुः परितस्तदा ।
महाद्रुमाणां निर्यासा बहवश्चौषधीरसाः ।।८।।
આ પ્રકારે દેવાસુરોએ મહાસમુદ્રનું મંથન કરવા માંડયું ત્યારે મહાવૃક્ષોના રસો તથા ઔષધિઓના રસો મંદરાચળની ચોગરદમ અધિકપણે પ્રવાહસદૃશ નીકળવા લાગ્યા. ।।૮।।
तथाभूतादम्बुनिधेराविरासीत्कलानिधिः ।
कान्त्यौषधीनामध्यक्षः सर्वासां य उदीर्यते ।।९।।
વલોવા માંડેલા આવા મહાસમુદ્ર થકી કળાઓના નિધિરૂપ ચંદ્રમા પ્રથમ પ્રકટ થયો. જે ચંદ્રમા પોતાની શીતળ કિરણોવડે સમગ્ર ઔષધિઓનો અધ્યક્ષપણે પોષણકર્તા કહ્યો છે. ।।૯।।
ततो गवामधिष्ठात्री सर्वासामपि कामधुक् ।
हविर्धान्यभवद्धेनुः शीतांशुसदृशद्युतिः ।।१०।।
ઔષધિપોષક ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયા પછી, સર્વ કોઇ ગોજાતિની અધિષ્ઠાત્રી દેવી અને ઘૃતાદિ હવિર્દ્રવ્યની ઉત્પત્તિમાં હેતુ હોવાથી હવિર્ધાની અને ચંદ્રમાને સમાન ઉજ્જવળ કાંતિવાળી અને વળી પોતાના સેવકોના સમગ્ર સંકલ્પોને સંપૂર્ણ કરનારી હોવાથી કામદુઘા નામથી પ્રસિદ્ધ એવી ધેનું પ્રકટ થઇ. ।।૧૦।।
अश्वः श्वेतो।थाविरासीद्धयानामधिदेवता ।
ऐरावतश्च नागेन्द्रश्चतुर्दन्तः शशिप्रभः ।।११।।
ત્યારપછી અશ્વમાત્રનો અધિદેવ, શ્વેત વર્ણવાળો ઉચ્ચૈઃશ્રવા નામનો અશ્વ ઉત્પન્ન થયો. તે પછી ચંદ્રમાસદૃશ શ્વેત કાંતિવાળો, ચાર દાંતવાળો, ગજમાત્રનો અધિપતિ ઐરાવત ગજ ઉત્પન્ન થયો. ।।૧૧।।
पारिजातो दिव्यतरुस्तरुराजस्ततो।भवत् ।
मणिरत्नं कौस्तुभाख्यं पद्मरागमभूत्ततः ।।१२।।
ત્યારપછી વૃક્ષરાજ પારિજાત નામનો દિવ્ય વૃક્ષ પ્રકટ થયો. તે પછી રક્ત કમળના જેવી કાંતિવાળો કૌસ્તુભ નામનો શ્રેષ્ઠ મણિ પ્રગટ થયો. ।।૧૨।।
ततो।भवन्नप्सरसो रुपलावण्यभूमयः ।
सुरादेवी ततो जज्ञो सर्वमादकदेवता ।।१३।।
ત્યારપછી રૂપ અને લાવણ્યના સ્થાનભૂત અપ્સરાઓ ઉત્પન્ન થઇ. ત્યારપછી સમગ્ર માદક વસ્તુઓની અધિષ્ઠાત્રી સુરાદેવી ઉત્પન્ન થઇ. ।।
आसीदथ धनुः शाÜO सर्वशस्त्राधिदैवतम् ।
वाद्याधिदैवतं शङ्खः पाञ्चजन्यस्ततो।भवत् ।।१४।।
ત્યારપછી સમસ્ત શસ્ત્રોનું અધિદૈવત શાર્ઙ્ગ નામનું ધનુષ ઉત્પન્ન થયું. તે પછી વાદ્યમાત્રનો અધિદેવ પાંચજન્ય નામનો દિવ્ય શંખ પ્રકટ થયો. ।।૧૪।।
अत्र चन्द्रः पारिजातस्तथैवाप्सरसां गणः ।
आदित्यपथमाश्रित्य तस्थुरेते तु तत्क्षणम् ।।१५।।
ઉત્પન્ન થયેલાં ઉક્ત રત્નો મધ્યે ચંદ્રમા, પારિજાત, કલ્પવૃક્ષ અને અપ્સરાઓનો સમૂહ આ ત્રણ રત્નો તો ઉત્પન્ન થયાની સાથેજ સૂર્યમાર્ગ (આકાશ) ને આશરીને રહ્યાં. ।।૧૫।।
वारुणीमश्वराजं च दैत्येशा जगृहुर्द्रुतम् ।
ऐरावतं देवराजो जग्राहानुमताद्धरेः ।।१६।।
સુરાદેવી અને ઉચ્ચૈઃશ્રવા અશ્વરાજને તો દૈત્યાધિપતિઓએ તત્કાળજ ગ્રહણ કરી લીધો. ઐરાવત નામનો ગજેન્દ્ર ભગવાનની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્રે ગ્રહણ કર્યો. ।।૧૬।।
कौस्तुभश्च धनुः शङ्खो विष्णुमेव प्रपेदिरे ।
हविर्धानीं तु ते सर्वे तापसेभ्यो ददुस्तदा ।।१७।।
કૌસ્તુભમણિ, શાર્ઙ્ગ ધનુષ અને પાંચજન્ય શંખ, આ ત્રણ રત્નો તો વિષ્ણુ ભગવાનનેજ પામી ગયાં. આ રીતે જ્યારે સમુદ્રથકી ઉત્પન્ન થએલાં ઉક્ત વસ્તુઓ સર્વએ યથા યોગ્ય લઇ લીધાં. ત્યારે દેવાદિકે સર્વેએ મળીને હવિર્ધાની જે ધેનુ હતી તે તો તપસ્વી ઋષિઓને યોગ્ય જાણીને આપી. ।।૧૭।।
मथ्यमानात्पुनः सिन्धोः साक्षाच्छ्रीरभवत्स्वयम् ।
आनन्दयन्ती स्वदृशा त्रिलोकीं हतवर्चसम् ।।१८।।
વળી ફરીથી વેગથી વલોવા માંડેલા ક્ષીરસાગરથકી જે સાક્ષાત્ સ્વયં શ્રી હતાં તેજ કન્યારૂપે પ્રાદુર્ભાવ પામ્યાં. કેવાં શ્રી ? તો કાંતિએ રહિત થઇ ગએલી ત્રિલોકીને પોતાના કૃપાકટાક્ષવડે જ અતિશય આનંદ ઉપજાવનારાં થયાં. ।।૧૮।।
तां ग्रहीतुं तु सर्वे।पि सुरासुरनरादयः ।
ऐच्छंस्तस्याः प्रतापात्तु शेके।न्त्येतुं न कश्चन ।।१९।।
પ્રાદુર્ભવેલાં લક્ષ્મીદેવીને ગ્રહણ કરવા માટે તો સુર અસુર નર વિગેરે સર્વ કોઇએ પણ ઉત્કટ ઇચ્છા કરી. પરંતુ લક્ષ્મીજીના પ્રતાપથીજ કોઇ પણ તેમની સમીપે જવા માટે પણ સમર્થ થયો નહિ. ।।૧૯।।
ततस्तां पद्महस्तत्वाच्छ्री विदित्वैव वासवः ।
आनन्दं परमं प्राप ब्रह्माद्या ये च तद्विदः ।।२०।।
ત્યાર પછી ઇન્દ્ર સમુદ્રથકી પ્રકટ થયેલી કન્યાને હસ્તમાં કમળ હોવાથી "આ લક્ષ્મીદેવી જ છે" એમ નિશ્ચય કરીને પરમ આનંદને પામ્યો. તેમજ આ લક્ષ્મીદેવી જ છે, એમ એમનાં અસાધારણ લક્ષ્ણોથી જાણતા એવા ભવબ્રહ્માદિ દેવો પણ બહુ આનંદને પામ્યા. ।।૨૦।।
तावत्तत्राम्बुधिः साक्षादेत्य तां हैम आसने ।
कन्या ममेयमित्युक्त्वा गृहीत्वाङ्क उपाविशत् ।।२१।।
તે સમયમાં મૂર્તિમાન સમુદ્ર ત્યાં આવીને 'આ કન્યા મારી છે' એમ કહીને તેણીને પોતાના ખોળામાં લઇને, પછી સુવર્ણમય સિંહાસનમાં પોતે બેસાર્યાં. ।।૨૧।।
पुनरब्धेर्मथ्यमानादधिकं बलिभिश्च तैः ।
सुधार्थिभिर्धैर्यवद्भिरपि नैवाभवत्सुधा ।।२२।।
અમૃત મેળવવાની ઇચ્છાવાળા, બહુ ધૈર્યવાળા અને બહુ બળવાળા એવા પણ સર્વ સુરો અસુરોએ મળીને ફરીથી અધિકાધિક સમુદ્રમંથન કરવા માંડયું પણ તેમાંથી અભિલષિત અમૃતતો નીકળ્યું જ નહિ. ।।૨૨।।
तदा शिथिलयत्नास्ते निराशा अमृतोद्भवे ।
प्रम्लानवक्त्राः खिन्नाश्च बभूवुः काश्यपा मुने ! ।।२३।।
હે મુને ! તે સમયે અભિષ્ટ અમૃત નહિ નીકળવાથી નિરાશ થયેલા માટે જ કરમાઇ ગયાં છે મુખ જેમનાં અને મનમાં બહુ ખેદ પામેલા એવા કશ્યપપુત્ર તે સુરાસુરો સમુદ્રમંથનમાં શિથિલ પ્રયત્નવાળા થયા.।।
दृष्ट्वा तथाविधांस्तांश्च भगवान्करुणानिधिः ।
उद्युक्तो।भूत्स्वयं ब्रह्मन्मन्थनाय हसन्विभुः ।।२४।।
હે બ્રહ્મન્ ! આ રીતે નિરાશ, નિરૂત્સાહી, નિષ્પ્રયત્ન તે સુરાસુરોને જોઇને કરૂણાનિધિ મહાસમર્થ ભગવાન સ્વયં હસ્તા થકા મંથન માટે તત્પર થયા. ।।૨૪।।
रत्नकाञ्चीदृढाबद्धकच्छपीताम्बरद्युतिः ।
द्वाभ्यां द्वाभ्यामहिं मध्ये दोर्भ्यामुभयतो।ग्रहीत् ।।२५।।
રત્નજડીત કટિમેખળાથી દૃઢપણે બાંધ્યો છે કચ્છ જેનો એવું જે પીતાંબર તેમાં કાંતિ જેમની છે એવા ભગવાન મધ્ય ભાગમાં રહીને બે બે હાથવડે વાસુકી નાગને બન્ને બાજુથી ગ્રહણ કરી રહ્યા. એટલે જમણા બે હાથવડે મંદરાચળને વીંટતાં બાકી રહેલા મુખભાગને અને ડાબા બે હાથવડે મંદરાચળને વીંટતાં અવશેષ રહેલા પુચ્છભાગને પકડી રહ્યા.।।
धृताहिवदना दैत्यास्तस्थुरेकत एव ते ।
एकतो धृततत्पुच्छा देवास्तस्थुस्तदाखिलाः ।।२६।।
જ્યારે સ્વયં ભગવાને મંદરાચળને વીંટતાં બાકી રહેલા વાસુકીના મુખ પુછનો મધ્યભાગ પકડયો ત્યારે એક તરફ સમગ્ર દૈત્યો વાસુકીના મુખને પકડીને ઉભા રહ્યા અને એક તરફ સમગ્રદેવો વાસુકીના પુછને પકડીને ઉભા રહ્યા. ।।૨૬।।
तन्मध्यगश्च भगवान्ममन्थाब्धिं सलीलया ।
ददानो नयनानन्दं चञ्चत्करविभूषणः ।।२७।।
આ રીતે દેવાસુરોના મધ્યભાગમાં રહેલા અને કરમાં ચળકતાં ચંચળ કટકાદિ આભૂષણોને ધારી રહેલા એવા ભગવાન મથતા દેવાસુરોનાં નેત્રોને આનંદ આપતા થકા લીલામાત્રથી સમુદ્રમંથન કરવા લાગ્યા. ।।૨૭।।
ब्रह्मा सहर्षिप्रवरैरन्तरिक्षस्थितस्तदा ।
अवाकिरंस्तं कुसुमैः कुर्वन् जयजयध्वनिम् ।।२८।।
જ્યારે ભગવાન પોતે દેવાસુરો સાથે સમુદ્રમંથન કરવા મંડયા ત્યારે મોટા ઋષિઓની સાથે બ્રહ્મા આકાશમાં રહીને 'જય જય' આવો દીર્ઘ ધ્વનિ કરતા થકા ભગવાનની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ।।૨૮।।
मथ्यमानात्ततः सिन्धोर्जज्ञो धन्वन्तरीः पुमान् ।
विष्णोरंशेन गौराङ्गः सुधाकुम्भं करे दधत् ।।२९।।
આ પ્રકારે દેવાસુરો સાથે ભગવાને મથવા માંડેલા તે ક્ષીરસમુદ્ર થકી વિષ્ણુના અંશભૂત ધન્વન્તરી નામના પુરૂષ પ્રગટ થઇ આવ્યા. કેવા ? તો ગૌર અંગવાળા અને હાથમાં અમૃતકળશને ધારી રહેલા.।।
घृतादीनां हि सर्वेषां रसानां सारमुत्तमम् ।
अमृतं तद्गृहीत्वासौ श्रियो।न्तिकमुपाययौ ।।३०।।
इति श्रीस्कन्दपुराणे विष्णुखण्डे श्रीवासुदेवमाहात्म्ये
अमृतमन्थने चतुर्दशरत्नोत्पत्तिनामा द्वादशो।ध्यायः ।।१२।।
પ્રકટ થયેલા આ ધન્વન્તરી ભગવાન ઘૃતાદિ સમગ્ર રસોના સર્વોત્તમ સારભૂત તે અમૃતકળશને લઇને લક્ષ્મીજીની સમીપે આવતા રહ્યા. ।।૩૦
ઇતિ શ્રીસ્કન્દપુરાણે વિષ્ણુખંડે શ્રીવાસુદેવમાહાત્મ્યે અમૃતમંથને ચતુર્દશરત્નોત્પત્તિનામા દ્વાદશો અધ્યાયઃ ।।૧૨।।
૧૩ આ અધ્યાયમાં ભગવાને મોહિનીરૂપ ધારીને દૈત્યોને મહામોહ ઉપજાવીને ભક્ત દેવતાઓને સુધાપાન કરાવ્યું અને સુધાપાનથી અમર બનેલા દેવોએ હણેલા દૈત્યો પલાયન કરી ગયા, ઇત્યાદિ કથા વર્ણવી છે. (શ્લોક ૩૩)