સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદી ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેનેજ અર્થે યજ્ઞા વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિષે ભોગવીને પછી ત્યાંથી પડે છે. ને નરક ચોરાશીમાં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વ સાત્વિકી, રાજસી ને તામસી થાય છે, ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહિ, અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહિ. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એજ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઇને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે -
૧ आमयो येन भूतानां जायते यश्च सुव्रत ! ।
तदेव ह्यामयं द्रव्यं न पुनाति चिकित्सितम् ।।
एवं नृणां क्रियायोगाः सर्वे संसृतिहेतवः ।
त एवात्मविनाशाय कल्पन्ते कल्पिताः परे ।।
એ શ્લોકનો પૂર્વે વાત કરી એજ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનનો ભક્ત હોય, તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઇને તે ભગવાનના ભક્તનો અવગુણ લે, તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે, વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે. ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તેરૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ છે. ત્યાં શ્લોક ભગવગ્દીતાનો છેઃ-
कर्मण्यकर्र्मा यः पश्येजकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्न्कर्मकृत् ।।
એ શ્લોકનો અર્થ એમ છે જે" ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જેકર્મ કરે છે તે કર્મને વિષે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બૂડયો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિષે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે, કેતાં મોક્ષને યોગ્ય છે. અને ઈયજૌત્ર્ટઋઈજાઋભ્ઈયજૌઋિ કેતાં સર્વે કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે, તેનો કોઇ રીતે અવગુણ જો લે, તો તેના હૃદયને વિષે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે."
ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। ।।૧૪૪।।
૧ અર્થ - સુવ્રત ! જેમ જે ઘૃતાદિ વસ્તુ અતિ ભક્ષણ કરવાથી મનુષ્યને જે રોગ થાય છે તે પદાર્થ તે રોગને નિવૃત્તિ કરતું નથી, ઉલટું રોગને વૃદ્ધિ પમાડે છે, તેના તે ઘૃતાદિ દ્રવ્યમાં તામ્ર ભસ્માદિ મિશ્રિત કરેલું હોય તો તે રોગને સમગ્રપણે નિવૃત્ત કરનારૃં થાય છે, તેમ મનુષ્યોની સર્વ ક્રિયાઓ (વ્રત,યજ્ઞા, દાનાદિક) તેના ફળ ભોગને અંતે, સંસૃતિના કારણ છે, પરંતુ તેના તે ક્રિયાયોગો પરમેશ્વરમાં ભક્તિરૃપે કલ્પ્યા હોય તો અનાદિ અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વક મોક્ષને માટે કલ્પાય છે
૨ અબન્ધક છે