પુરૂષોત્તમ પ્રકાશ ત્રયોવિંશતિતમઃ પ્રકાર ૨૪

દોહા -
એમ આજ અવિનાશીયે, કર્યું સોંઘું કલ્યાણ ।
જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ ।।૧।।
દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ ।
તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ ।।૨।।
પછી ઉત્સવ આદર્યા, વરસોવરસ વડતાલ ।
દેઇ દરશન દાસને, કરવા કોટિક નિહાલ ।।૩।।
રામનવમી પ્રબોધની, ઉત્સવના દિન એહ ।
અણ તેડયે સહુ આવજો, કહ્યું શ્રી મુખે કરી સનેહ ।।૪।।

ચોપાઇ -

અમે પણ આવશું જરૂરરે, થાશે દરશ ને દુઃખ દૂરરે ।
સંત સહિત નિરખશો નેણેરે, અતિ સુખી થાશો સૌ તેણેરે ।।૫।।
એમ કહ્યું આપે અવિનાશરે, સુણિ રાજી થયા સહુ દાસરે ।
પછી ઉત્સવ ઉપર એહરે, થયા સાબદા સૌ મળી તેહરે ।।૬।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, ચાલ્યા ઉત્સવપર તતક્ષણરે ।
સુણ્યો સમૈયો શ્રવણે જેણેરે, કરી તરત તૈયારી તેણેરે ।।૭।।
આવ્યા વાયદે વરતાલ ગામરે, ત્યાગી ગૃહી પુરૂષ ને વામરે ।
પછી વા'લમ પણ વરતાલરે, આવ્યા કરવા સહુને નિહાલરે ।।૮।।
આવ્યા હતા જે જન અપારરે, દરશન કરવાને નર નારરે ।
તે સહુને દરશન દિધાંરે, જને નેણે નિરખી સુખ લિધાંરે ।।૯।।
બેઠા મોટે મેડે મહારાજરે, સૌને દરસન દેવાને કાજરે ।
ઉભા થઇને આપે દયાળરે, લિયે સહુ જનની સંભાળરે ।।૧૦।।
પે'રી સુંદર વસ્ત્ર સોનેરીરે, જોયા જેવી શોભા જામા કેરીરે ।
પે'રી પાયે જામો જરીનોરે, નૌતમ નાડિનો રંગ નવીનોરે ।।૧૧।।
કસિ કમર સોનેરી સાલેરે, બાંધ્યો સોનેરી રેંટો વાલેરે ।
ધર્યાં છોગાં તેમાં ફુલનાંરે, લટકે તોરા મોંઘા મૂલનારે ।।૧૨।।
કંઠે કનક કુસુમના હારરે, ઓપે ૧પરવાળાં તે અપારરે ।
બાજુ કાજુ કુંડળ કાનેરે, શોભે સારાં ઘરેણાં સોનાનેરે ।।૧૩।।
વેઢ વીંટિ કર કડાં શોભેરે, જોઈ જન તણાં મન લોભેરે ।
હૈયે હાર ને હીરા સાંકળીરે, મોતી માળા શોભે વળી વળીરે ।।૧૪।।
એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરિરે, જુવે સહુ જનને વા'લો ૨હેરિરે ।
જન જોઇ એવી મૂરતિરે, હૈયે હેત વાધેછે જો અતિરે ।।૧૫।।
નિર્ખિ હર્ખિ અંતર ઉતારેરે, જેવા જોયા તેવા ઉર ધારેરે ।
જેણે જેણે જોયા જગદીશરે, નિર્ખિ જેણે નમાવિયાં શીષરે ।।૧૬।।
તેતો અક્ષરના અધિકારીરે, થયાં બહુ સહુ નર નારીરે ।
એવી મૂર્તિ ઉર જેને રહિરે, તેને સર્વે કમાણિ જો થઇરે ।।૧૭।।
ભાગે આવ્યો તેને બ્રહ્મમો'લરે, જિયાં અતિ સુખ છે અતોલરે ।
એહ સુખને આપવા કાજરે, આપે આવિયા છે જો મહારાજરે ।।૧૮।।
માટે કરેછે મોટા જો મેળારે, બહુ જન કરવાને ભેળારે ।
માટે જેણે જોયા એ સમૈયારે, તેતો બ્રહ્મમો'લવાસી થયારે ।।૧૯।।
ઘણી રીતે હેતે ઘનશ્યામરે, લઇ જાવા છે પોતાને ધામરે ।
જીવ અર્થે આવ્યા છે આપેરે, તાર્યા જીવ આપ પ્રતાપેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકારઃ ।।૨૪।।