उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् | आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ||६-५||
શ્લોકાર્થ
મનુષ્ય વિવેકે યુક્ત જીતેલા મનથી આત્માનો ઉદ્ધાર કરે, પણ આત્માનો અધઃપાત ન થવા દે. કારણકે -જીતેલું મનજ આત્માનો બંધુ-હિતકારક છે, અને નહિ વશ કરેલું મનજ આત્માનો - પોતાનો શત્રુ છે. ।।૫।।
ભાવાર્થ
હવે-યોગ સાધવાના ઉદ્યમમાં મનનીજ શત્રુતા અને મિત્રતા છે એમ દર્શાવે છે - વિષયાસક્તિએ રહિત, અથવા સારાસારના વિવેકવાળા મનથી, પોતાના ક્ષેત્રજ્ઞા-જીવાત્માને સંસાર સાગરમાં ડૂબેલાને સંસૃતિ ઉદ્ધારજ કરે, પણ વિપરીત મનથી પોતાના આત્માને સંસાર સાગરમાં ન ડૂબાડી દે. કારણકે-આ સંસારમાં પોતાનું જીતેલું મન જ બંધુની પેઠે ઉપકાર કરીને સન્માર્ગે લઇ જનારૂં છે. અને નહિ જીતેલું એ જ મન શત્રુની પેઠે નરકમાં પાડવામાં હેતુભૂત થાય છે. ।।૫।।