એકસો ને આડત્રિશમું પ્રકરણ

પૂર્વછાયો-
એક સાંભરી સારી વારતા, સતસંગીને સુખદેણ । વીતિ તે નથી વખાણતો, કહું દીઠી જે મારે નેણ ।।૧।।
ધન્યધન્ય સતસંગીને, જેના પુણ્યનો નહિ પાર । ધન્યધન્ય શ્રીમહારાજને, જેણે આપ્યા પરચા અપાર ।।૨।।
જોઇ પરચા જનના, જે નહિ માને નરનાર । તેજ અભાગી તન છતાં, મરી જાશે જમને દ્વાર ।।૩।।
એ જન જાણે આસ્તિકી, જેને સાચું મનાણું મન । કહું હવે કીર્તિ કથી, હરિ હરિજનની પાવન ।।૪।।

ચોપાઇ-
ધન્યધન્ય જેતલપુર ગામ, વાલે જેને કર્યું નિજધામ । તેમાં મરે પાપી નરનાર, તે પણ ન જાય જમને દ્વાર ।।૫।।
ઔતેમાં પરચા આપ્યા વાલે બહુ, જાણે છે જન ગામના સહુ । મોટા મોટા કર્યા જ્યાં જગન, ખુટયાં નહિ ગોળ ઘૃત અન્ન ।।૬।।
એમાં પરચા આપ્યા પળેપળે, તેતો કેમ લખાય કાગળે । પણ કહું છું એક બે વાત, હરિભક્તતણી વિખ્યાત ।।૭।।
ઔએક દ્વિજ ભક્ત દયારામ, પ્રભુ પધારિયા તેને ધામ । આવ્યા પંખાળી ઘોડિયે ચડી, હૈયે હારને હાથમાં છડી ।।૮।।
જોઇ જન થયો રળિયાત, અહો આ સઇ આશ્ચર્ય વાત । અતિપ્રેમમાંઇ લાગ્યો પાય, ઢાળી ઢોલીયો બેસાર્યા ત્યાંય ।।૯।।
નિર્યું ઘોડીને નીલેરૂં ઘાસ, ઉભો હાથ જોડી આગે દાસ । આપો આગન્યા કરાવું થાળ, દયા કરીને જમો દયાળ ।।૧૦।।
મારી બોન છે બીજે ભવન, કહું તેને કરે દરશન । કહે નાથ આવ્યા છાના અમે, ઝાઝું જાહેર ન કરો તમે ।।૧૧।।
આજ જાવું છે ગામ ડભાણ્ય, એક જનને તેડવા જાણ્ય । આંહિ રહેવું છે ઘડી બેચાર, પછી તર્ત થાવું છે તૈયાર ।।૧૨।।
માટે આવ્ય ઓરો આપુ હાર, જાતો ઝાઝી કરીશ માં વાર । દીધો હાર ગયો દયારામ, થયા અદૃશ્ય સુંદર શ્યામ ।।૧૩।।
ઘેરે આવ્યાં બેઉ બેન ભાઈ, નાથ ન દીઠા મંદિરમાંઇ । પછી કાઢી ગામમાં ખબર, નાથ આવ્યા છે કોઇને ઘેર ।।૧૪।।
પરસ્પર સહુને પૂછી વળ્યા, પણ વાલોજી ક્યાંઇ ન મળ્યા । કહે સત્સંગી બેસો જઇ ઘેરે, પ્રભુ વિરાજે છે કચ્છ તેરે ।।૧૫।।
કહે દયારામ તેહવાર, આ જો આપ્યો હમણાંજ હાર । કહે સતસંગી ધન્યધન્ય, થયું અલૌકિ તને દરશન ।।૧૬।।
આપ્યો પ્રભુએ પરચો આજ, ધન્ય ભાગ્ય તારાં દ્વિજરાજ । વળી એહ ગામમાંઇ એક, આપ્યો પર્ચો કહું કરી વિવેક ।।૧૭।।
એક દ્વિજ ભક્ત છે નિષ્કામ, જાણજ્યો જોયતો તેનું નામ । ઔતેના દેહનો આવિયો અંત, આવ્યા માસ મોરે ભગવંત ।।૧૮।।
અલૌકિક રૂપે આવ્યા નાથ, જોઇ જન થયો છે સનાથ । કહે જન ધન્ય ભગવાન, દિધાં દાસને દર્શનદાન ।।૧૯।।
કરૂં રસોઇ જમીયે આજ, મહેર કરી મુંપર મહારાજ । કહે નાથ તું કર રસોઇ, આજ જમશું જાણજ્યે સોઇ ।।૨૦।।
ઔપછી જોયતે કર્યાં ભોજન, જમ્યા ભાવેશું જગજીવન । પછી આપ્યો સુંદર મુખવાસ, હાથ જોડી બેઠો પ્રભુપાસ ।।૨૧।।
ત્યારે બોલિયા એમ મહારાજ, અમે આવ્યા છીએ તારે કાજ । તને કહેવી છે વારતા એક, હૈયે ધારજ્યે કરી વિવેક ।।૨૨।।
તારૂં તન તે પામશે નાસ, એહ આડો રહ્યો એક માસ । નાવા જાઇશ કુપમાં નીરે, પડશે કુપ લાગશે શરીરે ।।૨૩।।
ત્યારે છુટી જાશે તન તારૂં, માનજ્યો વચન એ અમારૂં । આવશું તેડવા તને અમે, સહાય કરશું વસમે સમે ।।૨૪।।
રહેજ્યે આનંદમાંહિ તું જન, કરજ્યે નારાયણનું ભજન । આ વાત તું કહેજ્યે એક પાસ, જે હોય નકિ પ્રભુનો દાસ ।।૨૫।।
એમ કહી રહ્યા જ્યારે નાથ, ત્યારે વિપરે જોડિયા હાથ । એક સતસંગી બોન મારી, તે તો ઇચ્છે તમને બિચારી ।।૨૬।।
ઔતેને દર્શન દિયો દયાળ, તો હું તેડી લાવું તતકાળ । ઔગયો વિપર તેડવા કાજ, કેડયેથકી પધાર્યા મહારાજ ।।૨૭।।
ઔતેડી લાવ્યો છે બોનને ભાઇ, પડયું દિઠું પત્રાવળું ત્યાંઇ । જોઇ પસ્તાપ કરે છે જન, કેમ રહ્યા નહિ ભગવન ।।૨૮।।
કહે જોઇતો એ મારે કાજ, આવ્યાતા અલબેલો મહારાજ । મને કહિ ગયા છે વચન, માસ પછી તું તજીશ તન ।।૨૯।।
માટે આ વાત કેને મ કહેજ્યે, તારા મનમાં સમઝી રહેજ્યે । પછી પુરો થયો જ્યારે માસ, ત્યારે આવ્યા પોત્યે અવિનાશ ।।૩૦।।
તેડી ચાલ્યા જનને જીવન, થયાં બીજાને પણ દર્શન । એહ પ્રતાપ નાથનો જોઇ, જન મગન થયાં સહુ કોઇ ।।૩૧।।
એક વારતા કહું વખાણી, લેજ્યો સામર્થી નાથની જાણી । મહી તીરે છે ગામ ચમારા, તેમાં ભક્ત સુતાર છે સારા ।।૩૨।।
નામ દ્યાળજી ભક્ત ભણિએ, સાચો ભક્ત સ્વામીનો ગણિએ । અતિનિર્મળ કોમળ ચિત્ત, જેને પ્રકટ પ્રભુમાં પ્રીત ।।૩૩।।
તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા સ્વામી ને સંત । મુનિ મંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી પાસે નાથ ।।૩૪।।
ઔધાયું દર્શને સરવે ગામ, કહે પધાર્યા સુંદરશ્યામ । દિધાં દયાળજીને દર્શન, નિરખી નાથને થયો મગન ।।૩૫।।
કહે ઉઠો ભાઇઓ સહુ મળી, કરો વાલાની ચાકરી વળી । આપો ઘોડાને ચાર નીલેરી, કરાવિએ રસોઇ વેલેરી ।।૩૬।।
જમે મહારાજ ને મુનિજન, આજ પધાર્યા છે ઘણે દન । એમ કહિને ઉઠિયો આપ, કહે બહુ દને થયો મેળાપ ।।૩૭।।
સર્વે ઘરનાં માણસ રહ્યાં જોઇ, દેખે દ્યાળજી ન દેખે કોઇ । કહે ગામ લોક અમે આજ, આવ્યા ત્યાં સુધી દીઠા મહારાજ ।।૩૮।।
કહે દ્યાળજી આ ઉભા આપ, બહુ હેત ભર્યા મારો બાપ । ઔહું તો જાઉં છું મહારાજ ભેળો, એમ કહેતાં દેહ તેહ ઢળ્યો ।।૩૯।।
સહુ રહ્યાં છે આશ્ચર્ય પામી, કહે ધન્યધન્ય સમર્થ સ્વામી । સાચા તમે સાચો સતસંગ, પાપી જીવ નહિ કરે પ્રસંગ ।।૪૦।।
આવી રીત્યે ક્યાંથી છુટે દેહ, મોટા મુનિને દુર્લભ એહ । થયો પર્ચો કહે સહુ મળી, કહું વાત બીજી લ્યો સાંભળી ।।૪૧।।
એક કણબી કુશળબાઇ, જેને પ્રીત અતિ પ્રભુમાંઇ । થઇ તાણ્ય નિરખવા નાથ, ચાલ્યાં દર્શને લઇ સંગાથ ।।૪૨।।
આવી રજની રહ્યાં ડભાસે, અંતરે હરિ મળવા આશે । જંપ ન વળે જંખના ભારી, ક્યારે નિરખું શ્યામ સુખકારી ।।૪૩।।
અતિ તલફે તન મનમાંઇ, થઇ આતુર ગઇ અકળાઇ । અતિ પ્રેમવશ થયા પ્રાણ, નાડી ન રહી નહિ ઓળખાણ ।।૪૪।।
એવે સમે આવ્યા અલબેલ, છેલ છોગાળો છબિલો છેલ । ઔશોભે સુંદર મૂરતિ સારી, આવી ઉભા આગે સુખકારી ।।૪૫।।
હસિહસિ બોલાવે દયાળ, કરો દર્શન તન સંભાળ । ત્યારે હરિજન થયા સચેત, લાગ્યા પાય કરી બહુ હેત ।।૪૬।।
કહે ધન્યધન્ય મહારાજ, દીધાં અલૌકિ દર્શન આજ । ત્યારે નાથ કહે સુણો જન, તારૂં જાણ્યું જે છુટશે તન ।।૪૭।।
માટે આવ્યા ઉતાવળા અમે, કરી બહુ તાણ્ય જ્યારે તમે । હવે અમે જાશું પાછા વળી, તમે આવજ્યો સહુ ત્યાં મળી ।।૪૮।।
એમ કહિ કંઠથી ઉતારી, આપી માળા સુખડયની સારી । એક કંઠી કાજુ ઝિણે પારે, દીધી વાલે તે પણ તેવારે ।।૪૯।।
દઇ માળાઓ ચાલ્યા મહારાજ, કરી અલૌકિક એહ કાજ । જોઇ જન પામ્યાં છે આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ ।।૫૦।।
જેહ આપી મૂરતિ એ માળ, તે ફેરવે છે હજી મરાળ । આપી અલૌકિક દાન એહ, દિઠી છે નિષ્કુલાનંદે તેહ ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને આડત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૮।।