પદરાગ મલાર –
બાઇ પ્રીત કરતાં પ્રીતમશું, જ્યારે પીડાયે પંડ ।
ઓષડ એનું એકોઇ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।।
બાઇ મીન જળે જ્યારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે ।
ચકોર દુઃખી થયો ચંદ્રથીરે, ત્યારે ક્યાં સુખ પામે; પ્રીત૦ ।।૨।।
બાઇ ચકવો દુઃખ પામ્યો દિનેશથી, ૨પિયૂષથી માનવી ।
કોણ ઉપાય હવે કીજિયેરે, ગજ જળિયો જાહ્નવી; પ્રીત૦ ।।૩।।
એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી ।
શું કરીયે હવે સજનીરે, આશા ઉગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ ।।૪।।
એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી ।
અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો કોઇ ન શકી કળીજી ।।૧।।
ઢાળ –કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી ।
શું કહ્યું બાઇ શ્યામળે, ક્યારે આવશે વ્રજમાં વળી ।।૨।।
અચેત હતી સહુ આપણે, ૧પ્રિછ પડી નહિ તેહ પળમાં ।
કાંઇક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।।
એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઇક છે સહિ ।
એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઇ નિરધાર નહિ ।।૪।।
બાઇ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ બોલ કુડા કર્યા ।
નખશિખ લગી નાથ બાઇ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ।।૫।।
હાથ ન આવે હવે હરિ, ખોઇ બેઠાં ખરી મીરાંથજી ।
મણિ ચોરાણી મળે નહિ બાઇ, પિયુ ગયા પરને હાથજી ।।૬।।
શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે ।
પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ।।૭।।
એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો કરે મનમાં ।
એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઇ ભવનમાં ।।૮।।
તિયાં મહી માખણ દુધ દેખી, ઘણો શોક કરી વે સુંદરી ।
હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।।
અંતર પ્રીતને ઉપર કે'તાં, લાજ લોકની વળી લાવતાં ।
નિષ્કુલાનંદના નાથને બાઇ, કાંઇ મષ લઇને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।।