પૂર્વછાયો-
ધન્યધન્ય જન એ સર્વને, જેને મળ્યા શ્રીમહારાજ । દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટયે નોય અકાજ ।।૧।।
જાણ્યે અજાણ્યે જોડિયા, જેણે હરિ આગળ હાથ । માહાત્મ્ય તેનું હું શું કહું, તે ન હોય કેદિ અનાથ ।।૨।।
દરશ સ્પરશ પૂજા કરી, ધારી નિયમ જે નરનાર । વાસી તે સ્વર્ગ વૈકુંઠના, શ્વેતદ્વીપ ગોલોક રહેનાર ।।૩।।
ધર્મ નિયમમાં દૃઢ ઘણા, એકાંતિક જન જેહ । તેની પ્રાપ્તિ વર્ણવી, કહું સાંભળજ્યો સહુ તેહ ।।૪।।
ચોપાઇ-
એવા સતસંગી નરનારી રે, અતિદૃઢ ધર્મ નિમધારી રે । તેને આવશે અંત્યે મહારાજ રે, પોત્યે આવે છે તેડવા કાજ રે ।।૫।।
તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઇ શુદ્ધ અંગે રે । શ્રીગોલોક ગુણાતીત જેહ રે, માયાતમ પાર ધામ તેહ રે ।।૬।।
અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રીરાધાકૃષ્ણ રહે તેહમાંય રે । અતિ અનુપમ ધામ એહ રે, પામે ઉદ્ધવાશ્રિત જન જેહ રે ।।૭।।
એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રીકૃષ્ણની ઇચ્છાય રે । જીયાં વિરજા નદી ખાઇરૂપ રે, જેના બેઉ કાંઠા છે અનુપ રે ।।૮।।
તેમાં મણિતણી ખાણો ઘણી રે, પદ્મરાગ સ્ફાટિક નીલમણિ રે । મણિમય પગથિયાં શોભે રે, તિયાં તરૂ વેલ્યે મન લોભે રે ।।૯।।
બહુ ઘાટ બાંધ્યા છે સુવર્ણે રે, ઝગે નંગ જુવે જાણુ નેણે રે । તિયાં ગોપ ગોપી કરે સ્નાન રે, હૃદે રાધાકૃષ્ણનું છે ધ્યાન રે ।।૧૦।।
કનક કળશે ભરે કઇ નીર રે, તેની ભિડય બહુ વિરજા તીર રે । ગઉધણ પિવા આવે વારી રે, તેણે પણ ભિડય રહે ભારી રે ।।૧૧।।
વળી તીરે શ્રીકૃષ્ણને કાજે રે, રમણ સ્થાનક દિવ્ય સમાજે રે । વિરજાપાર શતશૃંગ ગિરિ રે, રહ્યો ગોલોકને કોટ કરી રે ।।૧૨।।
ઉંચો કોટિ જોજન તે કહીએ રે, તેથી દશગણો પોળો લહીએ રે । ઔપારિજાતકાદિ તરૂ બહુ રે, ઘણા ગોવાળ જ્યાં ઘણી ગઉ રે ।।૧૩।।
રાસમંડળ એ ગિરિપર રે, રમે શ્રીકૃષ્ણ જ્યાં રંગભર રે । રાસમંડળ દશ જોજનમાં રે, ચારે દ્વાર આપે મુદ મનમાં રે ।।૧૪।।
રાસમધ્યે ગાય ગોપી ગીત રે, અતિમનોહર ચોરે ચિત્ત રે । તિયાં સર કૂપ વાવ્ય ભરી રે, શોભે મણિમય પગથિયે કરી રે ।।૧૫।।
ગિરિઝરે કરે ભૃંગ ગાન રે, જાણ્યું ગુણી ગાય ત્રોડે તાન રે । ફુલવાડી ઉપવન સાર રે, રાસમંડપ પાસે અપાર રે ।।૧૬।।
રાસમંડળે મંડપ ઘણા રે, રચ્યા પંચરંગ મણિતણા રે । તેપર કળશ કનકના શોભે રે, ધ્વજા પતાકા જોઇ જન લોભે રે ।।૧૭।।
ઔબાંધ્યાં તોરણ આશો આમ્રનાં રે, કર્યાં ખગ ને મૃગ ચિત્રનાં રે । તિયાં કેળના સ્તંભ કસ્તુરી રે, ચર્ચ્યાં અગરચંદન રહ્યાં સ્ફુરી રે ।।૧૮।।
ઔભર્યાં કુંભ અક્ષત અંકુર રે, કુંકુમ દુર્વાદિયે મુદ ઉર રે । એવાં રમવા ભુવન ઘણાં રે, શ્રીકૃષ્ણ ને ગોપીયો તણાં રે ।।૧૯।।
વસન ભૂષણ પહેર્યાં ગોપી ગોપે રે, નવ જોબને રાસમાં ઓપે રે । પુષ્પશય્યાઓ કુંજ કોટિ રે, ગિરિ વિંટયો વિરજાને નીરે રે ।।૨૦।।
ગિરિમાંહી શ્રીવૃંદાવન રે, રાધાકૃષ્ણને વાલું જે મન રે । બહુભાત્યનાં વૃક્ષ છે તિયાં રે, તેને શું કહું વર્ણવી ઇયાં રે ।।૨૧।।
ફુલ વેલી તિયાં બહુ ફુલી રે, સ્થળ કમળે રહ્યાં ભૃંગ ઝુલી રે । તિયાં મૃગગણ છે અપાર રે, કોઇ કેને ન આપે અજાર રે ।।૨૨।।
રત્ન ધૂપ દીપ ગેહગેહ રે, તેણે શોભે વૃંદાવન તેહ રે । વાવ્ય કુવા તળાવ ત્યાં બહુ રે, શોભે કમળ પોયણે સહુ રે ।।૨૩।।
તિયાં અતિસુગંધી સમાજે રે, એહ વૃંદાવન અતિ રાજે રે । તિયાં મીઠિ વાણ્યે પંખી બોલે રે, કૃષ્ણસ્તુતિ કરે મુનિતોલે રે ।।૨૪।।
ગાય ગોપીયો ગોપ વૃંદાવને રે, એ વન વાલું છે કૃષ્ણને મને રે । વત્સ વૃષભ ગઉ દોહન રે, બંશી ગાને શોભે વૃંદાવન રે ।।૨૫।।
તેહ મધ્યે છે બીજાં બત્રિશ રે, વન ફળ ફુલે શોભે હમેશ રે । એવું વૃંદાવન જે અશોક રે, તેહ મધ્યે છે શ્રીગોલોક રે ।।૨૬।।
કોટિ જોજન વિસ્તાર મોટે રે, રત્ન જડીત કનક કોટે રે । તેને ચારે દિશે ચાર દ્વારરે, વજ્રકપાટે શોભે અપાર રે ।।૨૭।।
તિયાં ગોપી ગોપનાં ઘર ઘણાં રે, શોભે ગોલોકમાં નહિ મણા રે । રત્નજડિત કનક ભવન રે, રથ વિમાન બહુ વાહન રે ।।૨૮।।
ઔધ્વજા પતાકા કળશ કંચન રે, શોભે એકથી એક ભવન રે । ઔમઇ મથે કૃષ્ણગુણ ગાઇ રે, રવે રહ્યું છે ગોલોક છાઇ રે ।।૨૯।।
ચારે દ્વારે ચાર મારગ રે, તિયાં થાય બહુ રાગરંગ રે । બાંધ્યા મગ નંગ પંચ રંગને રે, હારે હવેલીયો અડી ગગને રે ।।૩૦।।
રત્ને જડયા જરુખા ને ઓટા રે, અગર ચંદને છાંટયા મગ મોટા રે । ઔરંભાસ્તંભ મંગળિક સાજે રે, તેણે રાજમાર્ગ અતિરાજે રે ।।૩૧।।
ઔગોપ ગોપી લઇ પૂજા સમાજ રે, જાય કૃષ્ણ પૂજવાને કાજ રે । આવે જાય ગાય બહુ ગીત રે, તેણે કરી મારગ છે શોભિત રે ।।૩૨।।
વળી અનંત ભુવનપતિ જેહ રે, હરિ હર અજ ધર્મ તેહ રે । ઔરમા ઉમા સાવિત્રી મૂરતિ રે, જાય દરશને પત્ની પતિ રે ।।૩૩।।
સુર મુનિ સિદ્ધ ગોપ ગોપી રે, તેની ભિડયે રહ્યો મગ ઓપી રે । ગોપી રાધા રમા સમ નેમે રે, સેવે શ્રીકૃષ્ણસ્વામીને પ્રેમે રે ।।૩૪।।
એવા ગોલોકમધ્યે સુંદર રે, શોભે રાધાકૃષ્ણનું મંદિર રે । તેને ફરતા કનક કોટ સોળ રે, શોભે સુંદર ખાઇ અતોલ રે ।।૩૫।।
રાજગઢ જોજન ત્રણ્ય ઘોલે રે, ખાઇ છાઇ કલ્પતરુ બોલે રે । ઔસોળે કોટ રતન કાંગરે રે, કનક કળશે શોભાને ધરે રે ।।૩૬।।
સોળે પોળ્યને ઉલંઘિ દાસ રે, જાય દર્શને શ્રીકૃષ્ણને પાસ રે । તિયાં ચોક શોભા સઇ ભણિયે રે, બાંધ્યા પંચરંગની મણિયે રે ।।૩૭।।
તેજપુંજ તે મધ્યે અંબાર રે, કોટિ સૂર્ય શશિથી અપાર રે । ઔતેનું અક્ષરબ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચળ હરિ ધામ રે ।।૩૮।।
જક્તકારણ જોર જે વિશાળ રે, બહુ પ્રધાન પુરૂષ કાળ રે । એને આશ્રય રૂપ એ અનુપ રે, સતચિદ્ આનંદ સ્વરૂપ રે ।।૩૯।।
તેહ મધ્યે શ્રીકૃષ્ણનું ધામ રે, રચ્યું રત્નમણિ અભિરામ રે । મણિસ્તંભ ઘણી ફુલમાળ રે, તેણે શોભે છે ધામ વિશાળ રે ।।૪૦।।
મણિમાળ મોતીમાળે કરી રે, મણિ ઘણિયે રહ્યું શોભા ધરી રે । શ્વેત ચમર મુક્ત કળશ કઇ રે, સારાં તોરણ રહ્યાં શોભા દઈ રે ।।૪૧।।
શતશૃંગથી ઉંચું છે એહ રે, પ્રકાશક કૃષ્ણધામ તેહ રે । અગર ચંદને ચર્ચ્યું એ ધામ રે, ધૂપ દીપ દ્રવ્યે અભિરામ રે ।।૪૨।।
ઘણે સમાજે શોભે સદન રે, કહેતાં પાર નાવે કોય દન રે । તેને આસપાસ હરિદાસ રે, કરી રહ્યા એકાંતિક વાસ રે ।।૪૩।।
ઔસર્વે સેવા શ્રીકૃષ્ણની કરે રે, અતિઆનંદે સ્વછંદ ફરે રે । કૃષ્ણ ગુણ વાજીંત્રમાં ગાય રે, તેનો શબ્દ છાયો ધામ માંય રે ।।૪૪।।
એવા ધામમાંહિ સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રમણ રે । રંગે ચિત્ર વિચિત્ર તે ઓપે રે, કર્યા પશુ પંખી ગોપી ગોપે રે ।।૪૫।।
એવું અતિ સુંદર સિંહાસન રે, તેપર બેઠા કૃષ્ણ ભગવન રે । ઘનશ્યામ ને વય કિશોર રે, પીતપટ બે કર વંશી સોર રે ।।૪૬।।
મંદહાસ ને માથે મુગટ રે, નિર્ખિ જન મગન અમટ રે । મૃગમદ ચંદન અગર રે, ચર્ચી તન વૈજયંતી પેરી ઉર રે ।।૪૭।।
કૌસ્તુભ મણિ માળ કાંતિવાળી રે, શોભે શ્રીકૃષ્ણ કંઠે શોભાળી રે । મકરાકાર કુંડળ કાને શોભે રે, નંગ જડયાં કડાં કર ઉભે રે ।।૪૮।।
ઔકર આંગળી મુદ્રિકા મણિ રે, કટિ કિંકિંણિ નુપૂર શોભા ઘણી રે । ચરણ અરૂણ નખ રક્ત શામ રે, રક્ત કમળ તળ શોભાધામ રે ।।૪૯।।
તિયાં સોળે ચિહ્ન સુખકારી રે, સેવે મુનિ સિદ્ધ વ્રતધારી રે । અષ્ટકોણ જવ જંબુ જેહ રે, સ્વસ્તિ ધ્વજ ને કુળિશ તેહ રે ।।૫૦।।
અંકુશ અંબુજ ઉર્ધ્વરેખ રે, શોભે જમણે પગે વિશેખ રે । મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૫૧।।
વામચરણે એ ચિંતવે દાસ રે, કામ ક્રોધ મોહ પામે નાશ રે । એવાં કૃષ્ણચરણાર્િંવદ જોઇ રે, મુનિ મધુપ રહ્યા તિયાં મોઇ રે ।।૫૨।।
રાધાઆદિ દેવી પ્રેમે કરી રે, ચર્ચી ચંદન લિયે ઉર ધરી રે । ગુલફ જંઘા જાનુ જુગ જોઇ રે, બાહુ અજાન રહે મનમોઇ રે ।।૫૩।।
નાભી કટિ ઉદર અનુપ રે, તિયાં ત્રિવળી શોભે સુખરુપ રે । જમણે ઉરે શ્રીવત્સ ચિહ્ન રે, નિર્ખિ હરખે જન પાવન રે ।।૫૪।।
હાર મુગટ પુષ્પના શોભે રે, જોઇ જનતણાં મન લોભે રે । અરુણ કમળસમ કર દોય રે, બંશી સહિત શોભે છે સોય રે ।।૫૫।।
પૂર્ણ શશિસમ મુખ સારૂં રે, શોભે કંઠ કંબુ અનુસારું રે । તિયાં તુલસીમાળ વિશાળ રે, શોભે ચિબુક અધર પ્રવાળ રે ।।૫૬।।
મંદહાસે બોલે મિઠાં વેણ રે, દંત દાડયમકળિ સુખદેણ રે । નાસા દીપ કપોળે કાંતિ રે, કાને કુંડળ શોભા સુહાતિ રે ।।૫૭।।
તિયાં પુષ્પગુચ્છ બે ધરીયાં રે, ચંચળ લોચન હેતનાં ભરીયાં રે । રાતી રેખે નયણ રસાળ રે, શોભે ભ્રકુટી ભાલ વિશાળ રે ।।૫૮।।
કેશર તિલક તિયાં વિશેખ રે, હસતાં ભાલ વચ્ચે ઉઠે રેખ રે । સુંદર કેશ શિશે મુગટ રે, જડયો મણિરતને શું ઘટ રે ।।૫૯।।
નખશિખા શોભા ન કહેવાય રે, શ્રુતિ પુરાણ નિત્ય જેને ગાય રે । એવા શ્રીકૃષ્ણ શોભાની ખાણી રે, જીવ આસુરી ન શકે જાણી રે ।।૬૦।।
ઘનશ્યામ ને તન પ્રકાશ રે, તેનો મર્મ જાણે કોઇ દાસ રે । સામુદ્રિકે કહ્યાં શુભ ચિહ્ન રે, તેણે જુક્ત શ્રીકૃષ્ણ સુખયન રે ।।૬૧।।
તેને નિરાકાર કહે કુમતિ રે, હોયે આસુરી જીવ જે અતિ રે । સમજે સાકાર સંત તે સદા રે, પામે પાસ વાસ અતિમુદા રે ।।૬૨।।
કહીએ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ રે, વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ રે । હરિ નારાયણ અંતર્યામી રે, ભગવાન પ્રભુ બહુનામી રે ।।૬૩।।
તત્વજ્ઞાનાદિ નામ કહેવાય રે, શ્રુતિ પુરાણ સદ્ગ્રંથ ગાય રે । ઉપનિષદ ઇતિહાસે કરી રે, કૃષ્ણમહિમા કહે ફરીફરી રે ।।૬૪।।
ગુણ પ્રાક્રમે કરી બહુ નામ રે, જપવા જોગ સર્વે સુખધામ રે । રાધા રમા રહે દોય પાસે રે, જુવે શ્રીકૃષ્ણ હેતે કટાક્ષે રે ।।૬૫।।
બીજી લલિતાદિ સખી જેહ રે, રાધા રમાસમ વળી તેહ રે । સારી શીલે શુભ ગુણધામ રે, સુણો સહુ કહું તેનાં નામ રે ।।૬૬।।
જયા લલિતા ને શશિકલા રે, માધવી જમુના ને સુશિલા રે । રતિ કાંતિ ને ચંદ્રમુખી રે, કદંબ માલિકા સ્વયંપ્રભા સુખી રે ।।૬૭।।
પદ્મમુખી સુખા શુભા જેહ રે, મધુમતી સરસ્વતી તેહ રે । પદ્મા ગંગા ને સર્વમંગળા રે, સુમુખી ભારતી ને કમળા રે ।।૬૮।।
પારિજાતા કૃષ્ણપ્રિયા નંદા રે, નામ નંદિની સુંદરી સુખદા રે । એહઆદિ સુંદરી અપાર રે, સેવે શ્રીકૃષ્ણને કરી પ્યાર રે ।।૬૯।।
મૃગમદ ચંદન ને ફુલ રે, ભૂષણ વસન લાવી અમૂલ્ય રે । ઔવળી ષટ્ રસ સુભોજન રે, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજ્ય અન્ન રે ।।૭૦।।
કનક થાળે એ ભોજન ભરી રે, પ્રેમે જમાડે પ્રમદા હરિ રે । મેવા મિઠાઇ અમૃતફળ રે, રત્નજડિત ઝારીયે જળ રે ।।૭૧।।
પાય પાણી પાનબિડી આપે રે, કરી આરતી સ્તુતિ આલાપે રે । એમ પૂજા કરીને પિયારી રે, રાજી કરે શ્રીકૃષ્ણ મુરારી રે ।।૭૨।।
વળી પ્રભુના પારષદ જેહ રે, મુખ્ય મોટા નામ સુણો તેહ રે । વીરભાનુ ચંદ્રભાનુ કહીએ રે, સૂર્યભાનુ વસુભાનુ લહીએરે ।।૭૩।।
દેવભાનુ શક્રભાનુ જેહરે, રત્નભાનુ સુપાર્શ્વ છે તેહ રે । વિશાળ રૂષભ અંશુબળ રે, દેવપ્રસ્થ વરૂથ સુબળ રે ।।૭૪।।
શ્રીદામા આદિક એહ સોળ રે, તેને કેડયે બીજા છે અતોલ રે । સર્વે કરે શ્રીકૃષ્ણની સેવા રે, રૂપ ગુણે એક એક જેવા રે ।।૭૫।।
છત્તર ચમર સેવાનાં સાજ રે, તેણે સેવે રાજાધિરાજ રે । થાય તાને ગાન તિયાં ઘણાં રે, સર્વે દર્શન કરે કૃષ્ણ તણાં રે ।।૭૬।।
દેખી દાસની સેવા દયાળ રે, રીઝે કૃપાના નિધિ કૃપાળ રે । પરમાત્મા પરબ્રહ્મ જેહ રે, નિગમ નેતિ નેતિ કહે તેહ રે ।।૭૭।।
કાળ કર્મ ગુણ સિદ્ધ જાણો રે, તેના પ્રેરક કૃષ્ણ પ્રમાણો રે । સંકર્ષણને પ્રદ્યુમન કહીએ રે, અનિરુદ્ધ રૂપે કૃષ્ણ લહીએ રે ।।૭૮।।
અનંત કોટિ બ્રહ્માંડના નાથ રે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હાથરે । વળી સર્વે બ્રહ્માંડે મહારાજ રે, રહે જીવના કલ્યાણ કાજ રે ।।૭૯।।
નરનારાયણાદિ અનંત રે, દિવ્યરૂપે રહે ભગવંત રે । તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે ।।૮૦।।
દિવ્યરૂપે રહે પ્રભુ પાસ રે, સદા સુખ ભોગવે એ દાસ રે । બીજા બહુ વૈષ્ણવ ત્યાં વૃંદ રે, તેને સંગે કરે એ આનંદ રે ।।૮૧।।
પામે મોટપ્ય કહે ન આવે રે, જેણે પ્રભુ ભજ્યા આંહિ ભાવે રે । હરિ ધરી પોતે અવતાર રે, એહ ધામનું ઉઘાડયું બાર રે ।।૮૨।।
જે કોઇ સત્સંગી નરનારી રે, કર્યાં એ ધામનાં અધિકારી રે । નથી વાત સરખી એ વાત રે, જાણે સંત મોટા સાક્ષાત રે ।।૮૩।।
જેને મળ્યા સ્વામી સુખરાશી રે, તેતો સર્વે આ ધામના વાસી રે । કહે કવિ સુણો શુભમતિ રે, કહિ સતસંગીની પ્રાપતિ રે ।।૮૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગોલોકધામનું વર્ણન કર્યું એ નામે એકસો ને ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૧૫૯।।